પ્રેસ કોન્ફરન્સ / ABVPના કાર્યાલય પર હથિયાર વડે હુમલાનું કાવતરૂ NSUIએ ઘડ્યું, કોંગ્રેસ હિંસા ફેલાવી રહ્યું છેઃ પ્રદીપસિંહ જાડેજા

Clash between ABVP and NSUI workers on pradipsinh jadeja press conference in Ahmedabad

મંગળવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ABVPના કાર્યાલય પર NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે ગુરૂવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ABVPના કાર્યકર્તાઓ પર NSUIના કાર્યકર્તાઓ હુમલો કર્યો હતો. જેમણે આ કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહી થશે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં હિંસક હુમલાઓ કરાઈ રહ્યાં છે. કેન્દ્રના દિલ્હીના નેતૃત્વના ઈશારે આ કાર્યવાહી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ