બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ધ્વજા ચઢાવવાના ચાર્જ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા કરી ખાસ અપીલ

બનાસકાંઠા / અંબાજીમાં ધ્વજા ચઢાવવાના ચાર્જ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા કરી ખાસ અપીલ

Last Updated: 06:58 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરના શિખર ઉપર યાત્રાળુઓ દ્વારા ચડાવવામાં આવતી ધ્વજાના ચાર્જ બાબતે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા, ધજા ચડાવવાની હયાત પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી

શક્તિપીઠ અંબાજીમાં દૈનિક ખુબ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પધારે છે. યાત્રાળુઓ ધ્વારા શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. ધજા ચડાવવાની હયાત પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. અગાઉની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. પરંતુ યાત્રિકોની માંગણી અને જરૂરિયાતને ધ્યાને લઇ સુચારુ વ્યવસ્થાના ભાગ રૂપે નવીન વૈલ્પીક વ્યવસ્થા ઉમેરવામાં આવેલ છે.

ambaj i 11

ધ્વજાના ચાર્જ બાબતે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા

દુર દુરથી ભક્તિભાવ પૂર્વક મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો કોઈ લોભામણી વ્યક્તિઓ દ્વારા છેતરપિંડીનો ભોગ ના બને અને ધ્વજાની સાઈઝ મુજબ એકસૂત્રતા જળવાય તે હેતુથી મંદિર ટ્રસ્ટ ધ્વારા ધજા ચડાવવા માટે વૈકલ્પીક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ વ્યવસ્થા જો યાત્રિક ઇચ્છે તો લઇ શકે છે. યાત્રિક ઈચ્છે તો વિધીવિધાન મુજબ દેવસ્થાન ટ્રસ્ટના શિક્ષિત કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા ધજાનું શાસ્ત્રોત પૂજન વિધિ કરાવી શકશે તથા પોતાના પરિવાર સાથે ઢોલ નગારા સાથે ભક્તિભાવ પૂર્વક મા અંબાના શિખરે ધજા ચડાવી શકશે તથા યાત્રિકને આ ધજા ચડાવવા અંગેની ફોટોગ્રાફી પણ મંદિર ટ્રસ્ટ ધ્વારા કરી આપવામાં આવશે અને વોટ્સએપથી યાદગીરી રૂપે 4- ફોટો મોકલી આપવામાં આવશે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: પહેલા યુવતીને લવ જેહાદમાં ફસાવી, પછી લાખો રૂપિયામાં વેચી મારવાનો પ્લાન, આરોપીની ધરપકડ

શ્રદ્ધાળુઓને મંદિર ટ્રસ્ટ દ્વારા અફવાઓથી દુર રહેવા અપીલ

મીડિયા અને પ્રસારણના માધ્યમોમાં ધજા ચડાવવા અંગે ખોટી ભ્રામક અફવાઓ અને માહિતી પ્રસારિત કરવામાં આવેલ છે. જે વાસ્તવિક સત્ય થી ખુબ દુર છે. આવી ભ્રામક બાબતો અને અફવાઓથી દુર રહેવા સર્વે શ્રદ્ધાળુઓને મંદિર ટ્રસ્ટ ધ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે. ખોટી અફવાઓને રદિયો આપવામાં આવે છે. હાલમાં શરૂ કરવામાં આવેલ આ નવીન વ્યવસ્થામાં યાત્રિકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળેલ છે તથા પ્રથમ દિવસે 4 યાત્રિકોએ આ નવીન પહેલમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી છે એમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Banaskantha News Dhaja Charge Issue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ