આવો જાણીએ કે કોઈ વ્યક્તિની નોકરી બાદ તેનું મોત થઈ જાય તો તેના પરિવારને કંપની પાસેથી કયા કયા ફાયદા મળી શકે છે.
કર્મચારીના મોત બાદ પરિવારને શું મળશે?
જાણો કઈ કઈ રકમ પર કરી શકો ક્લેમ
આ નિયમો વિશે જાણી લો
કોરોના કાળમાં ઘણા લોકોના મોતની ખબર આવી હતી. કોઈ વ્યક્તિનું કારણ વગર મોત થવા પર તેના પરિવારને ઘણો આઘાત લાગે છે. પંરતુ એ વાત સારી છે કે નોકરીયાતને ઘણી એવી સુરક્ષા મળે છે જે તેના પરિવારને ખરાબ સમયે રાહત આપે છે. આવો જાણીએ કે કોઈ વ્યક્તિની નોકરી બાદ તેનું મોત થઈ જાય તો તેના પરિવારને કંપની પાસેથી કયા કયા ફાયદા મળી શકે છે.
EPF કે PFના પૈસા
કોઈ વ્યક્તિના નોમિનીને કર્મચારી ભવિષ્ટ નિધિ એકાઉન્ટમાં જમા સંપૂર્ણ પૈસા મળે છે. જો નોમિની જીવીત ન હોય અથવા મૃતક કર્મચારીને પોતાના પીએફમાં નોમિની જ ન બનાવ્યું હયો તો તેનો કાયદાકીય વારિસ તે રકમ પર ક્લેમ કરી શકે છે. જો નોમિનીનું નામ ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું છે તો નોમિની અથવા બેનિફિશિયરી પીએફની રકમને ઓનલાઈન ક્લેમ કરી શકે છે.
EPS હેઠળ પેન્શન
કોઈ કર્મચારીનું મોત થવા પર તેનું પેન્શન તેની પત્ની અથવા પતિને મળે છે. કર્મચારી પેન્શન યોજના નિયમો અનુસાર મૃતકની પત્ની અથવા પતિ અને તેના બે બાળકોને પેન્શન મળે છે. બાળકોની ઉંમર 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. મૃતકના પતિ અથવા પત્ની જીવિત છે તો તેના બાળકોને પેન્શનના ફક્ત 25 ટકા ભાગ જ તેના 25 વર્ષની ઉંમર થવા સુધી મળશે. જો બાળક વિકલાંગ છે તો તેના પર પેન્શનના 75 ટકા ભાગ આજીવન મળી શકે છે.
કર્મચારીએ જો કોઈને નોમિની નથી બનાવ્યા છે અને તે અવિવાહિત છે હતો તો તેનું પેન્શન તેના પિતાને આપી દેવામાં આવશે. કર્મચારીનો જો પોતાનો પરિવાર નથી અને તેને નોમિની બનાવ્યો છે તો તેને પેન્શન મળશે.
એમ્પ્લોય ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ (EDLI)
આ યોજના હેઠળ દરેક ઈપીએફ ખાતાધારકોની સેલેરી અનુસાર 2.5 લાખથી લઈને 7 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. દરેક ઈપીએફ ખાતાધારકોને વીમો હોય છે અને તેમની સેલેરીથી તેમના પૈસા કપાય છે. માટે પરિવારના લોકો કર્મચારીના મોત પર ઈડીએલઆઈ હેઠળ વીમા રકમના પણ હકદાર હોય છે.
ગ્રેચ્યુટી
કોઈ કર્મચારીના મોત બાદ તેની ગ્રેચ્યુટીની રકમ તેની નોમિનીને આપવામાં આવે છે. આ રકમ તેના પર નિર્ભર કરે છે કે કર્મચારીની સેલેરી કેટલી છે અને તેને કેટલા વર્ષ સુધી કામ કર્યું છે. જો કોઈ નોમિની નથી તો ગ્રેચ્યુટીની રકમથી તેના કાયદાકીય વારીસને આપવામાં આવે છે. ગ્રેચ્યુટી હેઠળ વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીનો લાભ મળે છે.
આ ઉપરાંત કર્મચારીને બાકી સેલેરી, બોનસ વગેરે પણ તેના નોમિનીને મળે છે. જો નોમિની નથી તો બાકી રકમ તેના કાયદાકીય વારિસને મળે છે.