આપણામાંથી ઘણા બધા લોકો તેમની ફાઈનાન્શ્ય્લ સંસ્થાની નિષ્કાળજી અને કર્મચારીઓની ઉદાસીનતાથી કંટાળેલા હોય છે. જો તમારી બેંક, વીમા કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપની બેદરકારી અને લાલિયાવાડી ચલાવે છે તો તમે તેનાથી થયેલા નુકશાન માટે વળતર મેળવી શકો છે.
શું તમે જાણો છો કે બેન્ક, ઇન્શ્યોરન્સ કંપની અને મ્યુચ્યુઅલ ફંડની પેમેન્ટની ડેડલાઈન મિસ થઇ જાય તો તેમણે તમને પેનલ્ટી ચૂકવવી પડે છે? ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. નોંધનીય છે કે તમે ખરાબ સેવાઓ બદલ વળતર માંગી શકો છો.
ઇન્શ્યોરન્સ પર પેનલ્ટી (લાઈફ ઇન્શ્યોરન્સ)
જો ઇન્શ્યોરન્સ કંપની ડેથ ક્લેમ સમય ઉપર સેટલ નથી કરી શકતી તો તેણે ક્લેમની રકમ ઉપર હાલના રેપો રેટ (5.15%) ઉપરાંત 2% જેટલું વ્યાજ પેનલ્ટી સ્વરૂપે ચૂકવવું પડે છે. ઇન્શ્યોરન્સ કંપનીએ ક્લેમની તપાસ 90 દિવસની અંદર કરી દેવી જરૂરી હોય છે. તપાસ પુરી થયા બાદ 30 દિવસની અંદર પેમેન્ટ મંજૂર થયું છે કે નામંજૂર તે સ્પષ્ટ કરી દેવું જરૂરી છે. જો આમ ન થાય ક્લેમની રકમ ઉપર બેન્ક રેટ ઉપર 2% વ્યાજની ચુકવણી કરવી પડે છે.
જનરલ ઇન્સ્યોરન્સ
જો વીમા કંપની સમય ઉપર સેટલમેન્ટ ન કરી શકે તો પેનલ્ટી સ્વરૂપે તેને અંતિમ ડોક્યુમેન્ટ જમા કરાવવાથી લઇને પેમેન્ટ આપવા સુધીના દિવસોનું બેન્ક રેટ + 2% જેટલું વ્યાજ ચૂકવવું પડે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ
હેલ્થ ઇન્શ્યોરન્સમાં સમય મર્યાદા કરતા વધુ વખત જાય તો પેનલ્ટી સ્વરૂપે તેને અંતિમ ડોક્યુમેન્ટ જમા કરાવવાથી લઇને પેમેન્ટ આપવા સુધીના દિવસોનું બેન્ક રેટ + 2% જેટલું વ્યાજ ચૂકવવું પડે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીએ ક્લેમની તપાસ 30 દિવસની અંદર કરી દેવી જરૂરી હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ
જો ડિવિડન્ડ ડિક્લેર થયાના 30 દિવસ પછી પણ મ્યુચ્યુઅલ ફંડ પેમેન્ટ ન કરી શકે તો પેનલ્ટી સ્વરુપે રકમ ઉપર 15% જેટલું વ્યાજ વસૂલવામાં આવે છે.
બેન્ક
જો ATMમાં રૂપિયા લેતી વખતે એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય પણ કેશ હાથમાં મળે નહિ તો બેક પાસે 6 એ પૈસા પાછા આપવાનો 6 દિવસનો સમય હોય છે. 7માં દિવસથી બેન્કને દૈનિક 100 રૂપિયાની પેનલ્ટી ચડે છે.
ઈ કોમર્સમાં લેવડદેવડ
ઈ કોમર્સ વેબસાઈટ ઉપર ખરીદી કરતી વખતે જો પૈસા કપાઈ જાય અને ટ્રાન્ઝેક્શન પૂરું ન થાય તો રિફંડ માટે 5 દિવસનો બેન્ક પાસે સમય હોય છે. 5 દિવસ બાદ 100 રૂપિયાની પેનલ્ટી ચડે છે.
પ્રિ પેડ વોલેટ
પ્રિ પેડ વોલેટમાં મની ટ્રાન્સફરમાં થયેલી કોઈ પણ ગડબડ જો 2 દિવસમાં ન સુધરે તો 3જા દિવસથી દૈનિક 100 રૂપિયાની પેનલ્ટીના તમે હકદાર છો.
ટેક્સેશન
જો તમને એડવાન્સ ટેક્સ અથવા TDSની રકમમાં ચુકવેલી વધારાની રકમનું રિફંડ સમયસર ન મળે તો તે રિફંડ ઉપર દર મહિને 0.5% જેટલું વ્યાજ મળશે. જો કે આ માટે કેટલીક જટિલ શરતોનું પાલન થતું હોવું જરૂરી છે.