સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં 43 લાખથી વધારે પડતર કેસને નિપટાવવા માટે ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ પત્ર લખ્યાં છે. પત્રમાં મુખ્ય ન્યાયાધીશે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે બે સંવૈધાનિક સંશોધનોનો અનુરોધ કર્યો છે.
CJI ગોગોઇએ પીએમ મોદીને અનુરોધ કર્યો છે કે એક તો સુપ્રીમ કોર્ટમાં જ્જોની સંખ્યામાં વધારો કરવામાં આવે જે અત્યારે 31 છે. બીજુ હાઇકોર્ટના જ્જોની નિવૃત્તિની ઉંમર 62ની જગ્યાએ વધારી 65 કરવામાં આવે.
CJI રંજન ગોગોઇએ પીએમ મોદીને ત્રીજા પત્રમાં સંવિધનના અનુચ્છેદ 128 અને 224A હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં રિટાર્યડ જ્જોના કાર્યકાળની જૂની પરંપરાને ફરી જીવીત કરવાની માગ કરી છે. આમ કરવાથી વર્ષોથી પડતર પડેલા કેસોને જલ્દી નિપટાવી શકાય.
મુખ્ય ન્યાયાધીશ ગોગોઇ પત્રમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં આ સમયે કોઇપણ ન્યાયાધીશ (જ્જ)નું પદ ખાલી નથી. સુપ્રીમ કોર્ટમાં હાલ 31 જ્જ છે જ્યારે કોર્ટમાં કુલ 58,669 કેસ પડતર છે. નવા કેસ આવવાના કારણે આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
CJI ગોગોઇ જણાવ્યું કે 26 કેસ 25 વર્ષથી, 100 કેસ 20 વર્ષથી, 593 કેસ 15 વર્ષ અને 4977 કેસ છેલ્લા 10 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પડતર છે. મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટમાં જ્જની સંખ્યા 31થી વધારી 37 કરવાની પણ માગ કરી છે. CJI ગોગાઇએ પત્રમાં લખ્યું છે કે 24 હાઇ કોર્ટમાં 43 લાખ કેસ પડતર છે.
CJI રંજન ગોગોઈએ પીએમ મોદીને પત્ર લખીને હાઈકોર્ટના જજોના રિટાયરમેન્ટની ઉંમરમાં વધારો કરવાનું સૂચન આપ્યું છે. રંજન ગોગોઈએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં સૂચન આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યામાં વધારો કરવામાં આવે. આ સાથો સાથ હાઈકોર્ટના જજોની નિવૃત્તિની ઉંમરમાં પણ વધારો કરવા માટે સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટમાં અનેક વર્ષો જૂના હજારો કેસ પેન્ડિંગ છે. ત્યારે એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે પડતર કેસોને નિપટવા માટે રિટાયર્ડ જજોની નિયુક્તી કરવામાં આવે. જેથી હજારો કેસ કે જે વર્ષો જૂના છે અને પડતર છે તેનું ઝડપથી નિરાકરણ આવી શકે.