ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈને ઘમાસાણ મચ્યું છે. એક તરફ કોરોનાએ માઝા મૂકી છે મહામારી દિવસને દિવસે વધુને વધુ ઘેરી બનતી જાય છે એવામાં જો ગરબા યોજાય તો? આ મામલે ડોક્ટર અને કલાકારોના મત નોખા નોખા છે. આવો જાણીએ શું કહે છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
10 દિવસની અંદર જ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જશે: જે.પી.મોદી
હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 384 દર્દીઓ
અમદાવાદમાં કુલ 3716 કોરોનાના એક્ટિવ કેસ
નવરાત્રીને લઈને અમદાવાદ સિવિલ સુપરિટેન્ડેન્ટે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મારુ પોતાનું માનવું છે કે નવરાત્રી ન થવી જોઈએ. હું અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખની સાથે છું. લોકો ભેગા થતા હોય તે ઉત્સવો ટાળવા જોઈએ. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જે.પી.મોદીએ કહ્યું આ પ્રમાણે કેસ આવ્યા તો અગાઉ જેવી જ સ્થિતિ થશે. 10 દિવસની અંદર જ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જશે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 384 દર્દીઓ છે. અમદાવાદમાં કુલ 3716 કોરોનાના એક્ટિવ કેસ છે.
રાજ્યમાં નવરાત્રી આયોજન મુદ્દે ડોક્ટર્સનું નિવેદન
કોરોના સંકટમાં નવરાત્રિની ઉજવણી ન કરવાના મોના દેસાઇના નિવેદનને તમામ સિનિયર જુનિયર ડોક્ટર્સનું સમર્થન મળી રહ્યું છે. તમામ ડોક્ટર્સનો મત છે કે, કોરોનાની મહામારીના સમયમાં નવરાત્રિ ન ઉજવવી જોઇએ. જો આ સમયમાં નવરાત્રિમાં ગરબાનું આયોજન થશે તો ગરબા મહોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે શક્ય હોવાથી કોરોનાના કેસમાં અઢળક વધારો થઇ શકે છે