લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જે બાદ સવાલો થઈ રહ્યા હતા કે, કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય સંભાળતા મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજકીય ભવિષ્ય શું હશે ?
પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
રામપુરની સીટ પરથી પણ ઉમેદવાર જાહેર કર્યા
મુખ્તાર અબ્બાસ નકવીના ભવિષ્ય અંગે ચર્ચાઓ વહેતી થઈ
લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જે બાદ સવાલો થઈ રહ્યા હતા કે, કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય સંભાળતા મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજકીય ભવિષ્ય શું હશે, શું તેમને કોઈ મોટી જવાબદારી આપશે ?
રામપુરથી પેટાચૂંટણી લડશે તેવી અટકળો હતી
રામપુર પેટાચૂંટણી માટે ભાજપે ઘનશ્યામ લોધીને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, જેમને રાજ્યસભામાં ટિકિટ ન આપવામાં આવી હતી, તેમને પણ રામપુરમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જોકે નકવીએ આ વાતને નકારી કાઢી હતી. નકવી માની રહ્યા હતા કે, અઢી વર્ષ પછી જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે, તેથી તેઓ આટલા ઓછા સમય માટે મેદાનમાં ઉતરવા માંગતા ન હતા.
જો કે, નકવી આ જોખમ લેવા માગતા નહોતા
રાજકીય વિશ્લેષકો માને છે કે, જો તેઓ કોઈપણ કારણોસર પેટાચૂંટણીમાં હારી ગયા હોત, તો તેમના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો હોત. એટલા માટે તે કોઈ જોખમ લેવા માંગતા નહોતા. હવે જ્યારે રાજ્યસભા માટેનો તેમનો કાર્યકાળ જુલાઈમાં ટૂંક સમયમાં પૂરો થશે, ત્યારે તેમનો રાજકીય માર્ગ કેવો હશે. જો તે કોઈપણ ગૃહના સભ્ય ન હોય તો તે છ મહિનાથી વધુ સમય માટે મંત્રીમંડળમાં રહી શકશે નહીં.
પાર્ટી તેમને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવે તેવી શક્યતાઓ
મુખ્તારની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર બનાવી શકે છે. આ રીતે તેમને ભાજપના લઘુમતી ચહેરા તરીકે પ્રમોટ કરવામાં આવશે. મુખ્તાર અબ્બાસ નકવી ત્રણ વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે 1998, 1999 અને 2009માં ત્રણ વખત લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ આ ચૂંટણીઓમાં માત્ર પ્રથમ વખત જ તેઓ જીત્યા હતા. તે સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. તેમને જીતનું ઈનામ આપીને કેન્દ્રમાં માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતાં.
નકવીનો રામપુર સાથે પહેલીવાર ટિકિટને લઈને સંબંધ
મુખ્તાર અબ્બાસ નકવીને જ્યારે પહેલીવાર રામપુરથી ટિકિટ આપવામાં આવી, ત્યારે ભાજપના અધિકારીઓ પણ તેમનાથી પરિચિત ન હતા. પરંતુ જ્યારે તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા તો અહીંથી કાયમી સંબંધ બંધાઈ ગયો. તેમણે રામપુરમાં વિકાસ કાર્યોને પણ વેગ આપ્યો. આઝમના વિસ્તારમાં ભાજપ માટે જગ્યા પણ બનાવી દીધી હતી.