કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુધારિત નાગરિકતા કાયદાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
નાગરિકતા કાયદા પર અમિત શાહની મોટી જાહેરાત
કોરોના ખતમ થયા બાદ લાગુ પાડીશું
બંગાળની મુલાકાતે આવ્યાં અમિત શાહ
શું દેશમાં ક્યારેય નાગરિકતા કાયદાનો અમલ કરવામાં આવશે કે નહીં તે અંગે ઘણા સમયથી સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. હવે અમિત શાહે તેને લઈને મોટો ખુલાસો કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંશોધિત નાગરિકતા સંશોધન કાયદાના અમલ પર ગુરૂવારે મોટુ નિવેદન આપ્યુ છે.શાહ પશ્ચિમ બંગાળની બે દિવસની યાત્રા પર પહોંચ્યા છે.
#WATCH TMC is spreading rumours about CAA that it won't be implemented on ground, but I would like to say that we'll implement CAA on ground the moment Covid wave ends...Mamata Didi wants infiltration...CAA was, is & will be a reality:Union Home minister Amit Shah in Siliguri, WB pic.twitter.com/E1rYvN9bHM
કોરોના મહામારી પૂરી થયા બાદ લાગુ પાડીશું સીએએ
સિલિગુડી જિલ્લામાં શાહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે કે નાગરિકતા કાયદાનો ક્યારેય અમલ નહીં કરાય પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે જ્યારે કોવિડ રોગચાળો સમાપ્ત થશે ત્યારે અમે સીએએ લાગુ કરીશું.
મમતા દીદી ઘૂસણખોરી ઇચ્છે છે પણ ટૂંક સમયમાં સીએએ બનશે વાસ્તવિકતા
અમિત શાહે કહ્યું મમતા દીદી ઘૂસણખોરી ઇચ્છે છે, પરંતુ સીએએ એક વાસ્તવિકતા છે, જેનો અમલ કરવામાં આવશે.તેમણે કહ્યું કે મમતા દીદી ફરી વાર સીએમ બન્યા છે પરંતુ હજુ સુધી હિંસા અટકી નથી.અમિત શાહે એવું પણ કહ્યું કે દેશમાં જ્યાં પણ હિંસાની ઘટના બને ત્યાં સીએમ મમતા બેનરજી ડેલિગેશન મોકલે છે પરંતુ તેમણે બિરભૂમમાં શા માટે ડેલિગેશન ન મોકલ્યું જ્યાં 8 મહિલા અને એક બાળકને જીવતા બાળી નાખવામાં આવ્યાં હતા. શું તેઓ બધા તેમના લોકો નહોતા.
She (CM Mamata Banerjee) sends a delegation whenever an incident happens across the country, but why didn't she send a delegation to Birbhum where 8 women and a child were burnt alive, aren't they her people?: Union Home minister Amit Shah pic.twitter.com/e1zy4sOrPw
દીદી ત્રીજી વાર ચૂંટાયા પણ હિંસા અટકી નથી
શાહે કહ્યું કે બંગાળના લોકોએ સીએમ મમતા બેનરજીને ત્રીજી વાર જનાદેશ આપ્યો છે. અમને આશા હતી કે દીદી વધારે સારુ કામ કરશે પરંતુ ભ્રષ્ટાચાર, સિન્ડીકેટ અને ભાજપ કાર્યકરોની હત્યા હજુ સુધી અટકી નથી. મમતા દીદીએ એવું ન વિચારવું જોઈએ કે ભાજપ તેની સામે લડત નહીં આપે.