પ્રતિક્રિયા / નાગરિકતા બિલ પર રાહુલ ગાંધીએ કહ્યું, મોદી-શાહ સરકાર પૂર્વોતર રાજ્યમાંથી મૂળ પ્રજાને ઉખાડી ફેંકવા માંગે છે

 Citizenship Bill Attempt To Ethnically Cleanse North East Rahul Gandhi

નાગરિકતા સુધારણા બિલને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું કે, "સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (CAB) દ્વારા મોદી-શાહ સરકાર પૂર્વોતર રાજ્યમાંથી મૂળ પ્રજાને ઉખાડી ફેંકવા માંગે છે. આ પૂર્વોત્તર, તેની જીવનશૈલી અને ભારતના વિચાર ઉપર ગુનાહિત હુમલો છે. હું પૂર્વોત્તરના લોકો સાથે ઊભો છું અને તેમની સેવા માટે તૈયાર બેઠો છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ