વિપક્ષના વિરોધની વચ્ચે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને સરકારે લોકસભામાં પાસ કરાવી દીધુ. જો કે બિલને લઇને લોકસભામાં મેરાથોન ચર્ચા જોવા મળી અને ત્યારબાદ સોમવારના મોડી રાત્રે મતદાન કરાયું હતું. જો કે લોકસભામાં નાગિરકતા સંશોધન બિલ પાસ થયા બાદ અલગ-અલગ પક્ષની પ્રતિક્રિયા સામે આવી.
નાગરિકતા સંશોધન બિલને લઇને આવી પ્રતિક્રિયા
નાગરિકતા સંશોધન બિલ ભારતીય બંધારણ પર હુમલોઃ રાહુલ ગાંધી
પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્ય પ્રહાર
જેને લઇને AIUDF નેતા બદ્દરૂદ્દીન અજમલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અજમલે કહ્યું કે હું આ બિલની વિરુદ્ધ છું, કારણે કે આ બંધારણની વિરુધ્ધ છે. બંધારણ ધર્મના આધાર પર ભારતના લોકોને લાવવાનો અધિકાર આપતું નથી. સરકાર લોકોને ધર્મના આધાર પર લાવવા ઇચ્છે છે.
રાહુલ ગાંધીએ આપી આ પ્રતિક્રિયા
નાગરિકતા સંશોધન બિલને લઇને રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે. જેને લઇને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટવિટરના માધ્યમથી જણાવ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ ભારતીય બંધારણ પર હુમલો છે. જો કોઇ તેનું સમર્થન કરી રહ્યા છે તો તે આપણા દેશની પ્રાથમિક પાયાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
The #CAB is an attack on the Indian constitution. Anyone who supports it is attacking and attempting to destroy the foundation of our nation.
જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થઇ ગયા બાદ સરકાર પર કટ્ટરતાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સરકારના બંધારણને નષ્ટ કરવાના વ્યવસ્થિત એજન્ડા વિરુધ્ધ લડશે. આપણા પૂર્વજોએ આપણી સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.
Last night at midnight, India’s tryst with bigotry and narrow minded exclusion was confirmed as the CAB was passed in the Lok Sabha. Our forefathers gave their lifeblood for our freedom.
In that freedom, is enshrined the right to equality, and the right to freedom of religion.
આ અગાઉ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદ્દુની ઓવૈસીએ પણ સોમવારે આ બિલનો વિરોધ કર્યો હતો. ઓવૈસીએ લોકસભામાં કહ્યું ધર્મનિરપેક્ષતા એ આ દેશની મૂળ રચનાનો એક ભાગ છે.
કોંગ્રેસ નેતા તરૂણ ગોગોઇએ આસામ માટે ખતરનાક ગણાવ્યું
આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા તરૂણ ગોગોઇએ આ બિલને આસામ માટે ખતરનાક ગણાવ્યું છે. ગોગોઇએ કહ્યું કે આ અસમ માટે ખતરનાક છે, આપણે બાંગ્લાદેશ પાસે છે.
શશી થરૂરએ કહ્યું કે બંધારણ માટે કાળો દિવસ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે આજનો દિવસ આપણા બંધારણ માટે કાળો દિવસ છે, કારણ કે આજે જે થયું તે ગેરબંધારણીય છે. આ મુસ્લિમ સમુદાય પર સરકારે નિશાન તાક્યું છે, આ ઘણુ શર્મનાક છે.
પ્રશાંત કિશોરે નિરાશા જાહેર કરી
જનતા દળ (યૂ) દ્વારા લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપવાને લઇને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નિરાશા જાહેર કરી.
સ્વરા ભાસ્કરે આપી આ પ્રતિક્રિયા
સરકારના આ નિર્ણયને લઇને સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા સામે આવી છે. બોલીવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું કે ભારતમાં ધર્મ નાગરિકતાનો આધાર નથી. ધર્મ ભેદભાવનો આધાર ન હોય શકે.
સોની રાજદાને કહ્યું ભારતનો અંત છે
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થવા પર અભિનેત્રી આલિયા ભટ્ટની મમ્મી સોની રાજદાને ટવિટ કરી જણાવ્યું કે આ એ ભારતનો અંત છે, જેને આપણે જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.
This is the end of the India we all know and love. Or at least for many of us who do. 💔 https://t.co/qgMalHOZ1U