નાગરિકતા સંશોધન બિલ સંસદના બંને ગૃહમાંથી પાસ થતાં દેશના પૂર્વોતર રાજ્યો સળગ્યા છે. આસામ સહિત અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને હિંસા પણ ફેલાઈ છે. આસામ અને ત્રિપુરા જતી તમામ ટ્રેનો અને ફ્લાઈટો તાત્કાલિક રદ્દ કરાઈ છે. આર્મીના હજારો જવાનોએ સુરક્ષા હેતુ ફ્લેગ માર્ચ કર્યું છે.
પૂર્વોતરના તમામ રાજ્યોમાં લોકો પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા
PM મોદીએ ટ્વિટ કરી શાંતિની અપીલ કરી
પ્રદર્શનકારીઓએ શાળા-કોલેજ સહિત તમામ બજારો બંધ કરાવી
પ્રદર્શકારીઓએ ગત રાતે બે રેલવે સ્ટેશનને પણ આગ લગાડી હતી. આ ઉપરાંત કોલકતાથી પૂર્વોતર રાજ્યોમાં જતી તમામ એક્સપ્રેસ સહિતની ટ્રેન માત્ર ગુવાહાટી ટુંકાવાઈ છે. આ અંગે વિરોધ એટલો હિંસક બન્યો છે પ્રાઈવેટ દુકાનો અને મોલને પણ આંગચંપી થઈ રહી છે. નિશ્ચિત રૂપે પ્રદર્શનકારીઓએ તમામ શાળા-કોલેજ બંધ કરાવી દીધી છે.
I want to assure my brothers and sisters of Assam that they have nothing to worry after the passing of #CAB.
I want to assure them- no one can take away your rights, unique identity and beautiful culture. It will continue to flourish and grow.
આસામના મુખ્યમંત્રીએ લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે આ ઉપરાંત આજે સવારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ દ્વારા આસામના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે. અને ખાતરી આપી છે કે આસામના લોકોના હિતોની રક્ષા થશે. આસામની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ કરશે.
The Central Government and I are totally committed to constitutionally safeguard the political, linguistic, cultural and land rights of the Assamese people as per the spirit of Clause 6.