નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) લોકસભા અને રાજ્યસભામાં રજૂ થઇ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલના વિરોધમાં સમગ્ર દેશમાં પ્રદર્શન થઇ રહ્યું છે. આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ઘણુ ઉગ્ર પ્રદર્શન પણ નજરે આવ્યું. સિટીજનશિપ અમેંડમેન્ટ બિલના વિરોધમાં લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.
CABને લઇને આસામમાં હિંસક પ્રદર્શન
પ્રદર્શનકારીઓએ 2 રેલવે સ્ટેશનો પર આગચાંપી
આ બિલ વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન
પ્રદર્શનકારિઓએ બે રેલવે સ્ટેશનો પર લગાવી આગ
આસામમાં પ્રદર્શન હિંસક થઇ ગયું છે. પ્રદર્શનકારીઓએ તિનસુકિયા જિલ્લાના પાનીટોલા રેલવે સ્ટેશન પર પહેલા તોડફોડ કરી બાદમાં તેને આગના હવાલે કરી દીધું. આ સિવાય ડિબ્રૂગઢ જિલ્લાના છાબુઆ રેલવે સ્ટેશન પર પણ પ્રદર્શનકારીઓએ આગ લાગી દીધી છે.
તિનસુકિયામાં આર્મીનો ફ્લેગમાર્ચ
આસામના તિનસુકિયામાં જિલ્લા મુખ્યાલયની બહાર મોડી સાંજે સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસને લાઠીચાર્જ અને રબડ બુલેટનો ઉપયોગ કરવો પડ્યો. આ સિવાય તિનસુકિયામાં સેનાએ ફ્લેગમાર્ચ પણ કર્યો. તિનસુકિયાના બોરગુરીમાં સાજે નિર્માણ પામી રહેલ ભાજપના નવા કાર્યાલયની જમીન પર બનાવવામાં આવેલ એક અસ્થાયી રૂમને પણ આગ લગાવી દીધી હતી.
આસામના બે જિલ્લામાં કર્ફ્યૂ લગાવવામાં
CABના વિરૂદ્ધ ઉગ્ર વિરોધ બાદ આસામના બે જિલ્લાના ગુવાહાટી અને કામરૂપમાં કર્ફ્યૂ લગાવી દીધું છે. તેની સાથે જ તમને એ પણ જણાવી દઇએ કે રાજ્યના સોનિતપુર, લખીમપુર અને તિનસુલિયા જિલ્લામાં ભારે વિરોધના કારણે કલમ 144 પણ લાગી કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળના 5 હજાર જવાનોને મોકલાયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધને ધ્યાનમાં રાખીને આસામના 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સાંજે સાત વાગ્યાથી આગામી 24 કલાક સુધી બંધ કરવામાં આવશે. લખિમપુર, ધેમાજી, તિનસુકિયા, દિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, કામરુપ અને ગોલાઘાટ જિલ્લામાં 24 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચંદીગઢમાં કોંગ્રેસ કર્યું વિરોધ પ્રદર્શન
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ચંદીગઢમાં બુધવાર સાંજે અરોમા ચોક પર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ પીએમ મોદીનું પુતળાને સળગાવ્યું.