નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થઇ ચૂક્યું છે. આ બિલની તરફેણમાં 311 જ્યારે બિલના વિરોધમાં 80 મત પડ્યા છે. ત્યારે દિવસ ભર ચાલલે ચર્ચામાં કોંગ્રેસે આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ દ્વાર ભાજપ હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે.
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ
નાગરિકતા સંશોધન બિલનો કોંગ્રેસે કર્યો વિરોધ
ભાજપ હિંદુ રાષ્ટ્ર બનાવા તરફ આગળ વધી રહ્યું છેઃ કોંગ્રેસ
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, અમે નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહ્યો છે. કારણ કે આ ભેદભાવપૂર્ણ છે. જો કોઇ પીડિત સમુદાયને શરણ આપી રહ્ય છીએ તો અમે આનો વિરોધ નથી કરતા પરંતુ અમારો વિરોધ આ વાતને લઇને છે કે આનું માપદંડ ધર્મને બનાવવામાં આવી રહ્યું છે. આને બદલવું જોઇએ. ભાજપ હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પહેલા વિપક્ષી દળોના હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા બિલ સંશોધન રજૂ કર્યું. આ બિલને રજૂ કરતા જ કોંગ્રેસ પાર્ટીએ હંગામો શરૂ કરી દીધો. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બિલ બંધારણની મૂળ ભાવનાઓના વિરૂદ્ધ છે, કારણ કે આ બિલ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સરકાર કલમ 14ને નષ્ટ કરી રહ્યું છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ બિલ મુસ્લિમો વિરૂદ્ધ છે અને ભારત બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. એટલા માટે આ બિલ ન લાવવું જોઇએ, કારણ કે આનાથી લોકોનીસાથે ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.