નાગરિકતા સંશોધન બિલને લોકસભા, રાજ્યસભા બાદ હવે રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઇ છે. લોકસભામાં આ બિલના પક્ષમાં 311 મત પડ્યા હતા, જ્યારે 80 સાંસદોએ બિલના વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. તો રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત અને વિરૂદ્ધમાં 99 મત પડ્યાં હતા. બન્ને ગૃહોમાં આ બિલ પાસ થતા તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું. ત્યારે ગુરૂવાર મોડી રાત્રે બિલને મંજૂરી આપી દીધી છે. તેથી હવે નાગરિકા સંશોધન બિલ કાયદો બની ગયો છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ શરણાર્થીઓને હવે ભારતની નાગરિકતા મળશે. આ બિલમાં આ ત્રણેય દેશોથી આવનાર હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઇ સમુદાયના શરણાર્થીઓ હવે ભારતીય ગણાશે.
ભારતની નાગરિકતા પાત્ર થવાની સમય સીમા 31 ડિસેમ્બર 2014 હશે. મતલબ કે આ તારીખ પહેલા અથવા આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનાર નાગરિકાત માટે આવેદન કરવા પાત્ર હશે. નાગરિકતા છેલ્લી તારીખ સુધી લાગૂ થશે.