નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું છે અને આજે તેને ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે આ બિલને રજૂ કર્યું. વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે અને બંધારણ વિરોધી બતાવી રહ્યા છે. આ બિલની વિરુદ્ધ આસામ સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું
લોકસભામાં આ પહેલા બિલ પાસ થઇ ચૂક્યું છે
બિલને લઇને પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યું છે
ઉપ રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટિસ જેવા ઘણા ઉચ્ચ પદો પર લઘુમતિઓ રહ્યા
અમિત શાહે કહ્યું કે નેહરૂ-લિયાકત સમજુતી હેઠળ બંને પક્ષોએ સ્વીકૃત્તિ આપી કે લઘુમતિ સમાજના લોકોને બહુમતીઓની જેમ સમાનતા આપવામાં આવશે, તેમના વ્યવસાય, અભિવ્યક્તિ અને પૂજા કરવાની આઝાદી પણ સુનિશ્ચિત કરવામાં આવશે, આ વચન લઘુમતિઓ સાથે કરવામાં આવ્યું. પરંતુ ત્યાં લોકોને ચૂંટણી લડવાથી પણ રોકવામાં આવ્યા. તેમની સંખ્યા સતત ઓછી થતી રહી. અને અહીં રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટિસ જેવા ઘણા ઉચ્ચ પદ પર લઘુમતિઓ રહ્યા. અહીં લઘુમતિઓનું સંરક્ષણ થયું.
પહેલીવાર નથી આપવામાં આવી રહી નાગરિકતા : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, નાગરિકતા પહેલીવાર નથી આપવામાં આવી રહી. પહેલા બાંગ્લાદેશીઓને નાગરિકતા આપવામાં આવી હતી. જ્યારે શ્રીલંકાની સમસ્યા હતી ત્યારે તેમને અડ્રેસ કરવામાં આવ્યા. આજે ત્રણ દેશમાં લઘુમતિઓ સાથે સમસ્યા છે તો અમે તેમને અડ્રેસ કરી રહ્યા છીએ.