નાગરિકતા સંશોધન બિલને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત અને વિરૂદ્ધમાં 99 મત પડ્યાં છે. રાજ્યસભામાં આ બિલ પાસ થતા હવે તેનો કાયદો બનશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ શરણાર્થીઓને આ બિલમાં નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં આ ત્રણેય દેશોથી આવનાર હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઇ સમુદાયના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે.
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ
લોકસભામાં અગાઉ પાસ થઇ ચૂક્યું છે બિલ
બિલના પક્ષમાં 125 મત પડ્યા, 99 મત વિરોધમાં
લોકસભામાં પાસ થયા બાદ નાગરિક સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલને રજૂ કર્યું હતું. ત્યારે બુધવારે અંદાજિત 7 કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ આ બિલ રાજ્યસભામાં પાસ થયું છે. જણાવી દઇએ કે આ બિલ પર વિપક્ષે વિરોધ કર્યો હતો અને આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યું છે.
બિલના પક્ષમાં 125 મત પડ્યા, 99 મત વિરોધમાં
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર થયેલ મતદાન દરમિયાન બિલના પક્ષમાં 125 અને વિપક્ષમાં 99 મત પડ્યા. મતદાનમાં કુલ 230 મત પડ્યા હતા. શિવસેનાએ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. હવે નાગરિકતા બિલને લોકસભા અને રાજ્યસભા બન્ને સંસદ ગૃહોની મંજૂરી મળી ગઇ છે. ત્યારબાદ બિલને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ કાયદો બની જશે.
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરતા આજના દિવસને મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો. કહ્યું, આ બિલ ઘણા વર્ષોથી જુલમ સહન કરનારા લોકોની વેદનાને દૂર કરશે.
A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood!
Glad that the #CAB2019 has been passed in the #RajyaSabha. Gratitude to all the MPs who voted in favour of the Bill.
This Bill will alleviate the suffering of many who faced persecution for years.
રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. પરંતુ બેઠકો ખાલી છે. જેને લઇને રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 240 છે. પરંતુ સ્વાસ્થ્યને લઇને 5 સાંસદ જોકે ગૃહની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા છે. તેવામાં ગૃહમાં સભ્યોની સંખ્યા ઘટીને માત્ર 235 રહી ગઇ. પરંતુ મતદાનમાં કુલ 230 મત જ પડ્યા જેના કારણે બિલ સરળતાથી પાસ થઇ ગયું.
આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. જો કે આ બિલને લઈને ભારે હોબાળો પણ થયો. કોંગ્રેસે આ બિલને લઘુમતીઓની વિરોધમાં ગણાવ્યું હતું. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. કોંગ્રેસે આ બિલને લઘુમતીઓની વિરોધમાં ગણાવ્યું.
સિલેક્ટ કમિટીમાં મોકલવા માટેનો પ્રસ્તાવ રદ્દ
રાજ્યસભામાં નાગરિકતા બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવા માટે મતદાન થયું હતું. સમર્થનમાં 124 અને વિરોધમાં 99 મત પડ્યા હતા. આ પ્રસ્તાવને રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્યારે શિવસેનાએ સંસદમાંથી વૉકઆઉટ કર્યું છે. શિવસેના સાંસદ મતદાનમાં ભાગ નહીં લે.
Rajya Sabha negated the motion for sending #CitizenshipAmendmentBill2019 to Select Committee. 124 members voted against it while 99 members voted in its favour. The motion was moved by CPI(M) MP, KK Ragesh. https://t.co/NtCUGiqMFI
જે લઘુમતીઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશોથી અહીં આવ્યા છે. તેમને અહીં નાગરિકતા આપવાની જોગવાઇ છે. બંગાળના લોકોને નોર્થ-ઇસ્ટના લોકોને એ વાત બતાવવી જોઇએ કે, શરણાર્થી જે દિવસથી અહીં આવ્યા છે. તેમને એ દિવસથી જ નાગરિકતા આપવી જોઇએ. લઘુમતી પ્રવાસીઓ વિરુદ્ધ ચાલી રહેલી કોઇપણ પ્રકારની કાર્યવાહી ભારતની નાગરિકતા મળવાની સાથે જ ખતમ થઇ જશે. અમિત શાહે કહ્યું કે નાગરિકતા બિલ લાખો લોકોની નરક જેવી જિંદગીથી મુક્તિ અપાવનારું બિલ છે.
કોંગ્રેસ નેતા સિંધિયાએ આ બિલનું કર્યું સમર્થન
કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું છે. ઇન્દોરમાં સિંધિયાએ કહ્યું કે, આ બિલ બંધારણથી વિરુદ્ધ છે એ અલગ વાત છે પરંતુ તે ભારતની સભ્યતા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારા અનુરૂપ છે. સિંધિયાએ કહ્યું કે આ પહેલા દેશોના આધાર પર થયું અને હવે રાજ્ય અને ધર્મના આધારે થઇ રહ્યું છે. આ અગાઉ પણ સિંધિયા કોંગ્રેસની પાર્ટી લાઈન ક્રોસ કરી ચૂક્યા છે.
આ બિલને લઇને દેશમાં વિરોધ
નાગરિક્તા સંશોધન બિલને લઈને વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સંસદથી લઈને રોડ પર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નાગરિક્તા સંશોધન બિલને લઈને અસમમાં સૌથી વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અસમના દિસપુરમાં લોકો રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ ચાંપી હતી. આથી પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, પૂર્વોત્તરના કેટલાક લોકો આ બિલના આવવાથી જોખમ અનુભવી રહ્યાં છે. પૂર્વોત્તરવાસીઓનું કહેવું છે કે, નાગરિક્તા લેનારા લોકોથી તેમની ઓળખ અને આજીવિકાને જોખમ છે. આથી પૂર્વોત્તરના કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરીને સરકાર પાસે આ બિલને પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.