નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) ને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહ પર લાવવામાં આવ્યું, આમ કહેવું છે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું. જેપી નડ્ડાએ વિપક્ષને રાજકીય હિતોની જગ્યાએ રાષ્ટ્રના હિત સાધવાની સલાહ આપી અને દાવો કર્યો કે તેથી પૂર્વોત્તરની 'સાંસ્કૃત્તિક ઓળખ' ને કોઇ ખતરો નહીં પહોંચે.
ભાજપે કહ્યું, પૂર્વ પીએમ મનમોહન સિંહની સલાહ પર બિલ લાવવામાં આવ્યું
ભાજપે મનમોહન સિંહના એક નિવેદનનો આપ્યો હવાલો
જેપી નડ્ડાનો દાવો, પૂર્વોત્તરની 'સાંસ્કૃત્તિક ઓળખ' ને કોઇ ખતરો નહીં પહોંચે
રાજ્યસભામાં આ બિલ પર થયેલી ચર્ચામાં ભાગ લેતા નડ્ડાએ કહ્યું કે આ બિલ ખૂબ જ મુશ્કેલીઓમાં જીવન જીવી રહેલા લાખો લોકોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપે છે. જેપી નડ્ડાએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 18 ડિસેમ્બર 2003 એ આપેલા એક નિવેદનનો હવાલો આપ્યો.
નડ્ડાએ કહ્યું કે એ સમયે મનમોહન સિંહએ તત્કાલિન ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને સલાહ આપતા કહ્યું કે આવા શરણાર્થીઓને નાગરિકતા આપવાના મામલામાં સરકારે પોતાના વલણમાં ઉદાર બનવું જોઇએ અને નાગરિકતા કાયદામાં બદલાવ કરવો જોઇએ. નડ્ડાએ દાવો કર્યો કે મનમોહન સિંહની વાતને પૂર્ણ કરતા અમારી સરકાર આ બિલ લઇને આવી છે.
ભાજપ નેતાએ કહ્યું કે પૂર્વોત્તરમાં એવો ભ્રમ ફેલાવાઇ રહ્યો છે કે, આ ક્ષેત્રની સાંસ્કૃત્તિ ઓળખ ખતમ થઇ જશે. ત્યાં લોકોનું અસ્તિત્વ ખતમ થઇ જશે. તેઓએ કહ્યું કે ગૃહ મંત્રી અમિત શાહ આ વાતનો પહેલાથી જ સ્પષ્ટ આશ્વાસન આપી ચૂક્યા છે કે, આ બિલ પર કાયદો બન્યા બાદ પણ ઇનર પરમિટ વ્યવસ્થા જારી રહેશે. પૂર્વોત્તરની સાંસ્કૃત્તિક ઓળખ યથાવત રહેશે. તેમના અસ્તિત્વને કોઇ ખતરો થયો નથી.
તેઓએ કોંગ્રેસ નેતા આનંદ શર્મા પર આરોપ લગાવ્યો કે, તેઓએ આ બિલના વિરોધમાં એવો તર્ક આપ્યો છે, જેમનો મૂળ વસ્તુથી કોઇ સંબંધ નથી. આ બિલનો એક જ આધાર છે કે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જેટલા લોકોનું ધાર્મિક આધાર પર ઉત્પીડન થયું છે, તેમને ભારતમાં શરણ લેવા પર નાગરિક્તા આપવામાં આવશે. આ પહેલા બિલ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા શર્માએ આ બિલને બંધારણની મૂળ ભાવના અને સમાનતાના અધિકારની વિરુદ્ધ બતાવ્યું હતું.