રાજ્યસભામાં બુધવારે પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી આપી. વિદેશ મંત્રાલય દ્વારા પહેલા જારી સૂચના અનુસાર મોમેનને ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને 20 મિનિટ પર અહીં પહોંચવાનું હતું.
નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો
આ બિલના વિરોધમાં આસામ અને પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યા છે
સૂત્રોએ જણાવ્યું કે બિલના પસાર થયા બાદ સ્થિતિને જોતા તેઓએ પોતાની યાત્રા રદ્દ કરી છે. નાગરિકતા (સંશોધન) બિલ બુધવારે રાજ્યસભામાં પસાર થયું છે. આ પહેલા આ બિલ સોમવારે લોકસભામાં પસાર થઇ ચૂક્યું છે.
તેમા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બિન મુસ્લિમ શરણાર્થી-હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયોના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ છે. તેના વિરોધમાં આસામ અને પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં પ્રદર્શન થઇ રહ્યા છે.