લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ચૂક્યું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ જ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટ યૂનિયન (AASU) ને આજ સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એટલે કે 12 કલાકના બંધનું એલાન આપ્યું છે. NESOએ અનેક સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ દળનું સમર્થન મેળવ્યું છે.
અસમમાં નાગરિતા સંશોધન બિલનો વિરોધ
આજે અસમમાં 12 કલાક બંધનું એલાન
ગઈકાલે લોકસભામાં પાસ થયુ છે બિલ
અસમમાં વિરોધ પ્રદર્શન અને પોલીસ ઘર્ષણ
ઉત્તર પૂર્વના રહેવાસીઓનું કહેવું છે કે બહાર આવીને નાગરિકતા લેનારા લોકોને તેમની ઓળખ અને આજીવિકાનો ખતરો છે. AASU અને અન્ય સંગઠન બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. સ્ટુડન્ટ યૂનિયનના કાર્યકર્તાઓએ રવિવારે સાંજે શિવસાગરની સડક પર નગ્ન પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોને કસ્ટડીમાં લીધા. જ્યારે અન્ય તરફ નલબારી નગરમાં અસમ ગણ પરિષદના 3 મંત્રીઓની વિરુદ્ધમાં વિભિન્ન સ્થાનો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે.
અસમ સિવાય ત્રિપુરામાં પણ નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધમાં પ્રદર્શન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સહયોગી ઈન્ડીજીનસ પીપલ ફ્રંટ ઓફ ત્રિપુરા સહિત અનેક આદિવાસી સમૂહોએ સોમવારે નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધમાં બંધનું આયોજન કર્યું હતું. જેના કારણે ત્રિપુરા ટ્રાઈબલ એરિયા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
Assam: Shops closed in Guwahati following a 12-hour 'bandh' call by North East Students' Organisation (NESO) and All Assam Students' Union (AASU) against #CitizenshipAmendmentBill which was passed in Lok Sabha, yesterday. pic.twitter.com/LMM3DGflnH
બિલના વિરોધના કારણે યોજાઈ રહેલા બંધમાં ત્રિપુરામાં સડક અને રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. તેમાં હજારો યાત્રીઓ રસ્તામાં ફસાયા હતા. બંધ સમર્થકોએ ત્રિપુરા અને દેશના અન્ય ભાગમાં ચાલી રહેલા વાહનો અને ટ્રેનને પણ રોકી હતી. પોલીસે કહ્યું કે ટીટીએએડીસી વિસ્તારોમાં કોઈ અપ્રિય ઘટના બની નથી.
મળતી માહિતી અનુસાર 10491 વર્ગ કિલોમીટરના બે તૃતિયાંશ વિસ્તારમાં 12 લાખથી વધારે લોકો રહે છે. તેમાં મોટાભાગે આદિવાસી છે. કોઈપણ અપ્રિય ઘટનાની સામે લડવાની તૈયારી રૂપે અર્ધસૈનિક બળ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ સહિત ભારે સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
બંધના કારણે કોલેજોની પરીક્ષાઓ રદ
અસમની સાથે અન્ય ભાગમાં પણ રેલવે અને હાઈવેને રોકવામાં આવ્યા છે અને પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે. આજે બંધના કારણે ત્રિપુરા યુનિવર્સિટી અને મહારાજા વીર વિક્રમ વિશ્વવિદ્યાલય બંનેની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.