60 વર્ષ જૂના નાગરિકતા કાયદાને બદવા માટે મોદી સરકાર તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન વિધેયક 2019 રજૂ કરશે.
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપતું બીલ
નાગરિકતા સંશોધન વિધેયક પર હોબાળાની શક્યતા
મુસ્લિમોને નાગરિકતા નહીં
કેબિનેટની મંજૂરી બાદ ચર્ચા માટે આજે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન વિધેયક પર હોબાળાની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા બીલના વિરોધ માટે રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષ સુધારા વિધેયકનો વિરોધ કરશે.
કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે બીલમાં સુધારો બંધારણ વિરુદ્વ છે. દેશની ધર્મનિરપેક્ષ પ્રકૃતિના વિરોધમાં સુધારા છે. પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતાનું ઉલ્લંઘન છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ સુધારા બીલ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1955માં રજૂ કરાયેલા નાગરિકતા બીલમાં સુધારા કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપતું બીલ છે. હિન્દુ, શીખ, જૈન, પારસી, ઇસાઇ શરણાર્થીઓને નાગરિકતા મળશે. સુધારા વિધેયકમાં શરણાર્થીઓ માટે નિવાસ સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. નિવાસ સમયગાળો 11 વર્ષથી ઘટાડી 6 વર્ષ કરવામાં આવ્યો છે. 1985ના અસમ કરારનું ઉલ્લંઘન થતું હોવાનો વિપક્ષનો દાવો છે.
મુસ્લિમોને નાગરિકતા નહીં
નાગરિતા સંશોધન બિલે ભારતમાં ફરી એક વખત ઓળખનો વિવાદ છેડ્યો છે. રાજકીય રૂપથી સંવેદનશીલ આ બિલને લઇને વિપક્ષ તરફથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જોકે આ બિલની જોગવાઇ અનુસાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવનાર મુસ્લિમોને ભારતની નાગરિક્તા ન આપવામાં આવે. કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓ આના આધારે બિલનો વિરોધ કરી રહી છે.