નાગરિકતા સંશોધન કાયદાનો છેલ્લા કેટલાક સમયથી આસામમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આસામ સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે ગુવાહાટીમાં 11 ડિસેમ્બરથી લાગૂ કરવામાં આવેલા કર્ફ્યૂને આજે સવારે હટાવી દેવામાં આવશે. પરંતુ સ્થિતિ એવી બની કે પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કરવું પડ્યું અને તેમાં 4 લોકોના મોત નીપજ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ
આસામમાં સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે કર્યું ફાયરિંગ
કાર્યવાહીમાં 4 લોકોના થયા મોત
આસામમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને તેમાં આજે 4 લોકોના મોત પણ થયા છે.
આસામ પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું છે કે પોલીસ કાર્યવાહીમાં 4 લોકોના મોત નીપજ્યા છે. સ્થિતિ એવી થઈ હતી કે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેથી અન્ય લોકો અને સંપત્તિને બચાવી શકાય. હવે સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે.
હાલ સુધી નોંધાયા છે આટલા કેસ
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં 136 કેસ નોંધવામાં આવ્યા છે. 190 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકતાંત્રિક રીતે વિરોધ કરનારા પ્રદર્શનકર્તા નથી. તેઓ હિંસામાં સામેલ હતા અને પ્લાન બનાવનારા કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકોમાં કેટલાક અલગ અલગ સંગઠનના નેતાઓ પણ સામેલ છે.
અઠવાડિયા બાદ આજે કર્ફ્યૂમાંથી આપવામાં આવી હતી રાહત
ઉલ્લેખનીય છે કે આસામ સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે ગુવાહાટીમાં 11 ડિસેમ્બરથી લગાવવામાં આવેલા કર્ફ્યૂને આજે સવારે 6 વાગે હટાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં હિંસક પ્રદર્શનો બાદ બંધ કરવામાં આવેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવાઓ પણ મંગળવાર સવારે જ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.