CAAના સમર્થન અને વિરોધમાં થયેલી અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરાશે. અંદાજે 144 અરજી પર સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ તમામ અરજી પર સુનાવણી કરશે. CAA પર સુપ્રીમ કોર્ટમાં 144 અરજી કરાઇ છે. જેમાં 141 અરજી CAAના વિરૂદ્ધ કરવામાં આવી છે. એક જ અરજી CAAના સમર્થનમાં છે જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.
CAA સાથે સંકળાયેલી અરજીઓ પર આજે SCમાં સુનાવણી
CJIની અધ્યક્ષતાવાળી 3 જસ્ટીસની બેંચ કરશે સુનાવણી
144 અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
Supreme Court to hear today around 144 petitions related to the Citizenship Amendment Act (CAA), including petitions challenging the constitutional validity of CAA & transfer petitions filed by the Central Government. pic.twitter.com/sIR16N9NQY
કેન્દ્ર સરકારે અરજી કરી દેશની વિવિધ હાઇકોર્ટમાં CAA વિરૂદ્ધ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ વિચાર કરશે. તો બીજી તરફ કેટલીક અરજીઓ એવી પણ છે જે CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા સમયે કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર ત્યારે જ સુનાણી થશે જ્યારે દેશના અલગ અલગ વિસ્તારોમાં થઇ રહેલી હિંસક ઘટનાઓ બંધ થાય.
કોણે કોણે કરી છે CAA વિરૂદ્ધમાં અરજીઓ
AASUના અનેક પ્રતિનિધિઓએ, IUML, કોંગ્રેસના જયરામ રમેશે, RJDના મનોજ ઝા, TMCના મહુઆ મોઈત્રા, AIMIM અસદુદ્દીન ઓવૈશીએ પણ અરજી આપી હતી. ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે સુનાવણીને પગલે નોર્થેસ્ટ કોલેજ તથા યુનિવર્સિટીઓ બંધ પાળશે.
Delhi: A group of women staged a sit-in protest outside Supreme Court last night. The Court to hear today around 144 petitions related to Citizenship Amendment Act, including petitions challenging constitutional validity of CAA & transfer petitions filed by the Central Government pic.twitter.com/xZ3nuO2Bdp
સુનાવણી પહેલાં સુપ્રીમ કોર્ટની બહાર કેટલીક મહિલાઓએ CAAનો વિરોધ પણ કર્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટની બહાર મહિલાઓ પોસ્ટર, બેનર લઈને પહોંચી. થોડા સમય બાદ તેમને કોર્ટની બહારથી હટાવી દેવામાં આવ્યા હતા.
શું છે નાગરિકતા સંશોધન કાયદો, શા માટે થઈ રહ્યો છે વિરોધ?
કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટના આધારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવનારા જૈન, હિંદુ, પારસી, શિખ, ઈસાઈ અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે. વર્ષ 2014 પહેલાંથી જે પણ શરણાર્થીઓ ભારતમાં છે તેઓએ 6 વર્ષથી વધારે સમય સુધી ભારતમાં રોકાયા છે તો તેમને નાગરિકતા મળી શકે છે. આ મુદ્દે વિપક્ષ અને અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. તેને સંવિધાન વિરોધી ગણાવી રહ્યા છે. પ્રદર્શનકારીનો આરોપ છે કે તેઓ સીએએને NRCની સાથે જોડી દેવાના કારણે તે કાયદો મુસ્લિમ વિરોધી બને છે.