દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસે નાગરકિતા કાયદા (Citizenship Amendment Act) ના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને 'દેશની એકતા માટે સત્યાગ્રહ' માં ભાગ લીધો અને બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લીધો. આ દરમિયાન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર હુમલો બોલ્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેટલાય મુદ્દાઓ પર સવાલ કર્યા.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન
દિલ્હીના રાજઘાટ પર આજે કોંગ્રેસનો સત્યાગ્રહ
પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, અને સોનિયા ગાંધી વિરોધ પ્રદર્શનમાં સામેલ
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના શત્રુઓએ પૂર્ણ પ્રયાસ કર્યા કે આ દેશની પ્રગતિને ખતમ કરવામાં આવે, શત્રુઓએ પૂર્ણ પ્રયાસ કર્યા કે દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરવામાં આવે, પરંતુ જે કામ તેઓ ન કરી શક્યા, તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે કામ આજ સુધી દેશના શત્રુઓ ન કરી શક્યા, તે નરેન્દ્ર મોદી પૂર્ણ તાકાત સાથે કરી રહ્યા છે.
जो काम देश के दुश्मन नहीं कर पाए, वो काम नरेंद्र मोदी पूरा दम लगाकर करने की कोशिश कर रहे हैं। हमारी उन्नति को नष्ट करने और देश की आवाज़ को चुप कराने की कोशिश कर रहे हैं : श्री @RahulGandhi#SatyagrahaForUnitypic.twitter.com/PC44p3rV2H
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા શત્રુઓ જે ના કરી શક્યા, તે હવે નરેન્દ્ર મોદી આપણી પ્રગતિ રોકવા માટે કરી રહ્યા છે. પીએમ મોદી પર હુમલો બોલતા તેઓએ કહ્યું કે, જ્યારે તમે હિન્દુસ્તાનના કરોડો યુવાઓની રોજગારી છીનવો છો, નોટબંધી કરો છો, ત્યારે આપ દેશની અવાજને શાંત કરવાની કોશિશ કરો છો.
ગૃહ મંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર હુમલો બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપના મિત્ર અમિત શાહને જણાવવા માંગુ છું કે, આ કોંગ્રેસની અવાજ નથી, આ ભારત માતાની અવાજ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જો તમે વિદ્યાર્થીઓને, મીડિયા અને જ્યૂડિશરી પર દબાણ કરવાની કોશિશ કરશો તો ભારત માતા આપને જવાબ આપશે. તેઓએ કહ્યું કે, સૌ કોઇ સમજી રહ્યા છે કે, મોદી જીને માત્ર ઘૃણા ફેલાવવાનું આવડે છે. આ દેશની જનતા, ભારત માતાની અવાજ આ દેશ પર આક્રમણ કરવા દેશે નહીં. આપને આ દેશના ભાગલા પાડવા દેશે નહીં. આ બંધારણ તમામ ધર્મોના લોકોએ મળીને બનાવ્યું હતું. તમામ ધર્મોના લોકોની અવાજ આ બંધારણમાં છે. આપ આ બંધારણ પર હુમલો ન કરી શકો.
દેશની અર્થવ્યવસ્થાને લઇને નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપ દેશને જણાવો કે, આપણી વિકાસ દર 9થી 4 ટકા પર કેવી રીતે આવી ગયો? તેઓએ કહ્યું કે, યુવાઓને બતાવો કે તેમને રોજગાર કેમ આપી શકતા નથી?