નાગરિકતા સંશોધન કાયદા વિશે લોકોને સમજાવવા માટે ભાજપે આવનારા 10 દિવસ સુધી વ્યાપક સ્તરે અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જશે અને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે જણાવશે.
આવનારા 10 દિવસ સુધી ભાજપ ચલાવશે અભિયાન
ઘરે-ઘરે જઇને લોકોને આપશે જાણકારી
ભાજપ 250 પ્રેસ કોન્ફરન્સ કરશે
ભાજપના સૂત્રોનું માનીએ તો, પાર્ટીના નેતા નાગરિકતા સંશોધન કાયદા વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે 250 પ્રેસ કોન્ફરન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકતા સંશોધન કાયદાના પક્ષમાં રેલી અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
ભાજપની યોજના લગભગ 3 કરોડ પરિવારોને નાગરિકતા કાયદાના સંબંધમાં જાણકારી આપવાની છે. આ પહેલા પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર નાગરિકતા કાયદાને લઇને જુઠ ફેલાવવા અને પ્રદર્શન માટે લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
Bhupender Yadav, BJP in Delhi: Our party has decided that in the coming 10 days we will launch a special campaign and contact over 3 crore families for Citizenship Amendment Act. We will hold press briefings in support of this Act at more than 250 places. pic.twitter.com/o8gHHIeMkv
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં 10 ડિસેમ્બરથી લઇને અત્યાર સુધીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અત્યાર સુધી 124 પ્રદર્શનકારીઓ પર એફઆઇઆર નોંધવામાં આવી છે. જ્યારે 705 લોકોને નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અત્યાર સુધીમાં જેલ મોકલવામાં આવ્યા છે અને 4500 લોકોની ધરપકડ કર્યા બાદ વ્યક્તિગત બોન્ડ પર છોડવામાં આવ્યા છે.