માયાવતીએ કહ્યું કે ચંદ્રશેખર ઉત્તર પ્રદેશનો છે પરંતુ તે ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીની જામા મસ્જિદમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) ના વિરોધમાં સામેલ છે અને તેની બળજબરીપૂર્વક ધરપકડ કરાવે છે.
આગચંપીના આરોપમાં ભીમ આર્મી પ્રમુખની ધરપકડ
ચંદ્રશેખરની ધરપકડને લઈને માયાવતીએ આપ્યું આ નિવેદન
વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈને બળજબરીથી પોતાની ધરપકડ કરાવે છેઃ માયાવતી
માયાવતીએ પાર્ટીના લોકોને કર્યા સચેત
માયાવતીએ એક ટવીટમાં જણાવ્યું હતું કે, ચંદ્રશેખર ઉત્તર પ્રદેશનો છે પરંતુ તે ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીની જામા મસ્જિદમાં નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) ના વિરોધમાં સામેલ છે અને તેની બળજબરીથી ધરપકડ કરવામાં આવે છે. કારણ કે અહીં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે માયાવતીએ પાર્ટીના લોકોને આવા તમામ સ્વાર્થી તત્વો, સંગઠનો અને પક્ષોથી હંમેશા જાગૃત રહેવાની અપીલ કરી છે.
માયાવતીએ લગાવ્યો આ આરોપ
માયાવતીએ કહ્યું કે દલિતોનું માનવું છે કે ભીમ આર્મીના ચંદ્રશેખર, વિરોધી પાર્ટીઓની સાથે રમે છે અને સાથે જ બીએસપીના મજબૂત રાજ્યોમાં ષડયંત્રના આધારે ચૂંટણી નજીક હોય ત્યારે મતને પ્રભાવિત કરનારા મુદ્દા પર પ્રદર્શન કરીને જેલ જાય છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં આગચંપી અને તોડફોડ માટે પોલીસે શનિવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી હતી. આ સિવાય પણ અન્ય કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી.
1. दलितों का आम मानना है कि भीम आर्मी का चन्द्रशेखर, विरोधी पार्टियों के हाथों खेलकर खासकर बी.एस.पी. के मज़बूत राज्यों में षड़यन्त्र के तहत चुनाव के करीब वहाँ पार्टी के वोटों को प्रभावित करने वाले मुद्दे पर, प्रदर्शन आदि करके फिर जबरन जेल चला जाता है।
2. जैसे यह यू.पी. का रहने वाला है, लेकिन CAA/NRC पर यह यू.पी. की बजाए दिल्ली के जामा मस्जिद वाले प्रदर्शन में शामिल होकर जबरन अपनी गिरफ्तारी करवाता है क्योंकि यहाँ जल्दी ही विधानसभा चुनाव होने वाला है।
મળતી માહિતી અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અમે આગચંપી, તોડફોડ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સહિત 21 પ્રદર્શનકર્તાઓની ધરપકડ કરી છે. જેઓ આઝાદ ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા.
પોલીસે કરી અનેક પ્રદર્શન કર્તાની અટકાયત
પોલીસે સીલમપુરમાં હિંસાને માટે 5 અને દિલ્હી ગેટની પાસે જૂની દિલ્હીથી 16 લોકોની અટકાયત કરી છે. ભીમ આર્મીનો વિરોધ શુક્રવારની નમાજ પછી બપોરે 1 વાગ્યા પછી શરૂ થયો હતો. જામા મસ્જિદમાં ચાલી રહેલા વિરોધ બાદ આઝઆદે પ્રદર્શનમાં ભાગ લીધો અને સાથે જ પોલીસે તેની અટકાયતની કોશિશ કરી તો તે સમર્થકોની સાથે ખોવાઈ ગયો. થોડા સમય બાદ પોલીસે હવે તેની અટકાયત કરી છે.