જામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસની કથિત હિંસાને લઈને સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કેસમાં સુનાવણીને માટે તૈયાર છે પરંતુ પહેલાં હિંસા ખતમ થવી જોઈએ.
જામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીની અરજી
કોર્ટે હિંસાની ઘટના પર નારાજગી દેખાડી
હિંસા બંધ કરો પછી જ સુનાવણી કરીશુંઃ સુપ્રીમ કોર્ટ
નાગરિકતા સંશોધન કાયદા પર જામિયા મીલિયા યુનિવર્સિટી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હિંસક પ્રદર્સન પર સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસની સુનાવણી આવતીકાલે કરીશું. તે પહેલાં હિંસા રોકાઈ જવી જોઈએ. જયસિંહે ચીફ જસ્ટિસ એસએ બોબડેની સામે દલીલ રાખી છે કે દેશમાં માનવાધિકારનું હનન થઈ રહ્યું છે. ચીપ જસ્ટિસે કહ્યું કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરુદ્ધમાં નથી. અધિકારોનું સંરક્ષણ કરવાને અમારી જવાબદારી ગણીએ છીએ.
મંગળવારે થશે આ કેસની સુનાવણી
ચીફ જસ્ટિસની બેંતની સામે અરજદારોએ પોલીસ દ્વારા હિંસાનો કથિત વીડિયો હોવાની વાત કહી છે. તેના જવાબમાં ચીફ જસ્ટિસે અરજકર્તાને ફટકાર લગાવી અને કહ્યું એ કોર્ટ રૂમ છે અહીં શાંતિથી વાત રાખવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કેસમાં સુનાવણી મંગળવારે થશે. પણ પહેલાં હિંસા રોકાય તે જરૂરી છે. તેઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ છે અને તેમને સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાની પરમિશન આપી શકાય નહીં. કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટેનું કામ પોલીસ કરી રહી છે. તેમાં કોર્ટ વધારે કંઈ કરી શકશે નહીં. પહેલાં શાંતિ કાયમ કરો અને જો હિંસા ચાલુ રહેશે તો આવતીકાલે જ સાંભળવામાં આવશે.
વિદ્યાર્થીઓ કાયદો હાથમાં લઈ શકે નહીંઃ CJI
ચીફ જસ્ટિસે હિંસાની ઘટનાઓ પર નારાજગી જાહેર કરતાં કહ્યું કે હિંસા દરેક સ્થિતિમાં રોકાવવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે તમે અમારી પાસે સમાધાન માટે આવ્યા છો તો તમારે શાંતિથી તમારી વાત રાખવી પડશે. જો તમારે પ્રદર્શનકર્તા બનવું હોય તો તમે એ જ કરો. અમે અધિકારોના સંરક્ષણને માટે પ્રતિબદ્ધ છીએ. પહેલાં હિંસા સમાપ્ત થશે તો જ અમે નિર્ણય લઈશું.
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ વધી રહ્યો છે અને પૂર્વોત્તરમાં પ્રદર્શન પણ થઈ રહ્યું છે. હવે દિલ્હી, લખનઉ, અલીગઢ, મુંબઈ જેવા શહેરો સુધી આ પ્રદર્શન પહોંચ્યું છે. રવિવારે દિલ્હીના જામિયામાં આ વિરોધ પ્રદર્શને હિંસક રૂપ લીધું હતું. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારના આ કાયદાને લઈને અરજી કરવામાં આવી છે અને જલ્દી જ તેની સુનાવણીની માંગ પણ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં કાયદા વિરુદ્ધ અનેક અરજીઓ
હાલ સુધીમાં આ કાયદાને લઈને 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસની તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે અને આ કેસમાં જલ્દી સુનાવણી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે તેમાં પીસ પાર્ટી, રિહાઈ મંચ, જયરામ રમેશ, પ્રદ્યોત દેબ બર્મન, જન અધિકાર પાર્ટી, એમએલ શર્મા, AASU, અસદુદ્દીન ઓવૈસી, મહુઆ મોઈત્રાની અરજીઓ સામેલ છે.
આ અરજી સિવાય સોમવારે પણ નવી અરજીઓ રજૂ કરવામાં આવી શકે છે. આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન વોરા પણ આજે નાગરિકતા સંશોધન એક્ટની વિરુદ્ધમાં અરજી કરશે અને જલ્દી સુનાવણીની અપીલ કરશે.
CJI સામે ઉઠાવશે મુદ્દો
કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી આજે સવારે સાડા દસ વાગ્યે ચીફ જસ્ટિસ એસ.એ, બોબડેની કોર્ટની સામે અરજીને મેન્શન કરશે અને જલ્દી જ સુનાવણીની અપીલ પણ કરશે.
આસામ ગણ પરિષદના જોલી નાથ સરમાહનું કહેવું છે કે તેમની પાર્ટી આ કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરશે. સાથે જ પાર્ટીની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિમંડળ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરશે.
ઘટ્યા નાગરિકતાના સમયના વર્ષ
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાના આધારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનની સાથે આવનારા હિંદુ, જૈન, બૌદ્ધ, શિખ, ઈસાઈ, પારસી શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા સરળતાથી મળી જશે. આ સિવાય નાગરિકતા મળવાનો સમય 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર ફક્ત એક ધર્મ વિશેષને આ બિલની બહાર રાખી રહી છે. જે સંવિધાનના આર્ટિકલ 14નું ઉલ્લંઘન છે.