નાગરિકતા સંશોધન કાયદો 2019ની વિરુદ્ધમાં કર્ણાટકમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં મેંગલોરમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે હવે પીડિત પરિવારજનોને માટે કર્ણાટક સરકારે 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ પહેલાં પણ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે ફાયરિંગમાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના ઘરે જઈને મુલાકાત લીધી હતી.
મેંગલોરમાં CAAનું વિરોધ પ્રદર્શન
2 વ્યક્તિના થયા મોત
કર્ણાટક સરકારે મદદનું કર્યું એલાન
કર્ણાટકના મેંગલોરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું, પોલીસ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રદર્શન પર કાબૂ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ સમયે પોલીસની ગોળીનો શિકાર આ બે લોકો બન્યા હતા.
સરકારે આપી આટલી રકમની સહાય
પીડિતના પરિવારજનોને માટે કર્ણાટક સરકારે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ પહેલાં કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમાર સ્વામીએ મંગલોર ફાયરિંગમાં મૃત્યુ પામનાર એક વ્યક્તિના ઘરની મુલાકાત લીધી હતી.
Karnataka Chief Minister B S Yediyurappa has announced Rs 10 lakh each as compensation to the families of the two people who died during protests in Mangaluru on December 19. #CitizenshipAmendmentAct (file pic) pic.twitter.com/mpsXvcqKgX
પરિવારજનોનું કહેવું છે કે જલીલ બાળકને લઈ ગયો હતો. બાળક સ્કૂલથી છૂટીને સ્કૂલ વેનથી ઘરે આવી રહ્યું હતું ત્યારે તેને વચ્ચે જ છોડી દેવામાં આવ્યું, આ માટે જલીલ બાળકને લઈ ગયો હતો. આ ઘટના સાંજે 5 વાગે બની હતી અને તે બાળકને તેના ઘરની બહાર મૂકી ગયો ત્યારે પોલીસે તેને ગોળી મારી.