નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) ની વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)નું મોટુ નિવેદન આવ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે કંઇપણ થાય પરંતુ આ કાયદાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે. મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા હાંસલ થાય અને તેઓ સન્માન સાથે ભારતીય નાગરિક બનીને જીવે.
નાગરિકતા સંશોધન કાયદા પર અમિત શાહનું મોટુ નિવેદન
અમિત શાહે કહ્યું કે કંઇપણ થાય પરંતુ આ કાયદાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે
તેઓ જેટલો ઇચ્છે તેટલો નાગરિકતા કાયદાનો વિરોધ કરી શકે છે : અમિત શાહ
અમિત શાહે મંગળવારે કહ્યું કે, મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા હાંસલ થાય અને તેઓ દેશમાં સન્માનની સાથે જીવી શકે. અમિત શાહે નવા કાયદાનો વિરોધ કરતા લોકોને પડકાર આપતા કહ્યું કે તેઓ જેટલો ઇચ્છે તેટલો નાગરિકતા કાયદાનો વિરોધ કરી શકે છે.
Home Minister Amit Shah in Delhi on #CitizenshipAmendmentAct: Aapko jo rajnitik virodh karna hai wo karo, Bharatiya Janata Party ki Modi sarkar firm hai. Ye sabhi sharanarthiyo ko nagrikata milegi, vo Bharat ke nagrik banenge aur samman ke sath duniya me rahenge. pic.twitter.com/JKyTbDMx4K
અમિત શાહે કહ્યું કે આખુ વિપક્ષ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. હું ફરી વાર કહું છું કે કોઇપણ લઘુમતિ સમુદાયના કોઇપણ વ્યક્તિની નાગરિકતા છિનવી લેવાનો કોઇ સવાલ જ નથી. બિલમાં આવી કોઇ જોગવાઇ નથી.