નાગરિકતા કાયદા વિરુદ્ધ પૂર્વોત્તરમાં તણાવ વચ્ચે હંગામાની સાથે દેશમાં અલગ-અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આસામ, ત્રિપુરામાં સેના તહેનાત છે અને કર્ફ્યુ પણ લગાવામાં આવ્યો છે. જો કે આસામમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુવાહાટીમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી કર્ફ્યુંમાં રાહત
આસામ, ત્રિપુરામાં સેના તહેનાત
મોબાઇલ, ઇન્ટરનેટ સેવા અને મેસેજિંગ સેવા હાલ પણ બંધ
નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ લગાવામાં આવેલા કર્ફ્યુંમાં ગુવાહાટી ખાતે આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જ્યારે મોબાઇલ ઇન્ટરનેટ સેવા અને મેસેજિંગ સેવા હાલમાં પણ બંધ છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન પછી ગુરૂવાર સાંજથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ભારતીય સેનાએ પૂર્વોત્તરમાં પોતાની કાર્યવાહીને લઇને સોશિયલ મીડિયા પર કેટલાક સંદિગ્ધ લોકો દ્વારા ફેલાવામાં આવી રહેલી ખોટી ખબરોનું ખંડન કરતા લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે.
કર્ણાટકના બાંગ્લા કેમ્પમાં રહેનારા બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થિઓએ રંગો સાથે ધૂળેટી રમીને ખુશીને વ્યક્ત કરી. જ્યારે મુંબઇમાં રહેનારા આસામના લોકોએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શહેરના આઝાદ મેદનમાં પ્રદર્શન યોજ્યું.