નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દિલ્હીના જામિયા કેમ્પસમાં થયેલા પ્રદર્શન બાદ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલનો પ્રયોગ કરવાને લઈને વિપક્ષે સરકારની આલોચના કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ સરકાર કાયર છે જે જનતાના અવાજથી ડરે છે.
નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન
જામિયામાં થઈ રહેલા વિરોધને લઈને પ્રિયંકાએ આપ્યું આ નિવેદન
આ સરકાર કાયર છે, જનતાના અવાજથી ડરે છેઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે દેશના વિશ્વવિદ્યાલયોમાં ઘૂસીને વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે. જે સમયે સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ એ સમયે ભાજપ સરકાર ઉત્તર પૂર્વ, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને પત્રકારો પર દમનને માટે પોતાની હાજરી આપી રહી છે. આ સરકાર કાયર છે, જનતાના અવાજથી ડરે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. દેશના જવાનો, તેમના સાહસ અને તેમની હિંમતને પોતાના બળે દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ ભારતીય યુવા છે, મોદીજી સાંભળો તે દબાશે નહી. તેનો અવાજ તમારા સુધી આજે નહીં તો કાલે પહોંચશે અને તમારે સાંભળવો પડશે.
जनता की आवाज़ से डरती है। इस देश के नौजवानों, उनके साहस और उनकी हिम्मत को अपनी खोखली तानाशाही से दबाना चाहती है। यह भारतीय युवा हैं, सुन लीजिए मोदी जी, यह दबेगा नहीं, इसकी आवाज़ आपको आज नहीं तो कल सुननी ही पड़ेगी।
નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિશ્વવિદ્યાલયોમાં સરકારની વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. વિરોધને લઈને રવિવારે દિવસે થયેલા પ્રદર્શનો અને જામિયા કેમ્પસની લાઈબ્રેરીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસના લાઠીચાર્જ અને ટીયર ગેસના પ્રયોગે અન્ય વિશ્વ વિદ્યાલયો અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ ભડકાવ્યા.
રવિવારે મોડી રાત સુધી ડીયૂ, જેએનયૂ, આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતર્યા અને આઈટીઓના દિલ્હી પોલિસ મુખ્યાલય પ્રદર્શન માટે પહોંચ્યા હતા. અન્ય તરફ પૂર્વોત્તર ભારતમાં પણ નાગરિકતા સંશોધન કાયદાને લઈને લોકોની ભીડ સડક પર ઉતરી છે અને સરકારની વિરોધમાં પ્રદર્શન કરી રહી છે.