અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમનોની જૂની પોલીસી રદ, હવે મહાનગરપાલિકા નવી પોલિસી પાડશે બહાર. બદલાશે પાર્કિંગ નિયમો
મહાપાલિકા કરશે પાર્કિંગ પોલીસીમાં બદલાવ
એપ્રિલના અંતમાં વિચારાઈ હતી પાર્કિંગ પોલિસી
જૂનો નિયમ રદ્દ કરી હવે આવશે નવી પોલિસી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી પાર્કિંગ પોલિસીમાંથી નાગરિકોને રાહત મળશે. વાહન રજિસ્ટ્રેશન વખતે જગ્યાનો પુરાવા બતાવનો નિયમ રદ કરવામાં આવ્યો છે. શહેરમાં પાર્કિંગ સમસ્યાનું નિવારણ લાવવા સુપ્રિમ કોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. અને એક નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી છે. AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની પોલિસી રદ કરવામાં આવી છે. પાર્કિંગ પોલિસી અંગે કમિટી વધુ વિચારણા કર્યા બાદ અમલમાં લાવશે.
શો હતો જૂનો નિયમ
ગત એપ્રિલમાં મહાનગર પાલિકા-અમદાવાદે એક પાર્કિંગ પોલિસી ઘડી હતી.જે મુજબ કાર કહ્રીદ કરતા પહેલા પાર્કિંગ હોવાની ખાતરી પણ નાગરીકોએ આપવાની હતી.સાથોસાથ આડેધડ પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મેળવવા જાહેર સ્થળો પર વધારે સમય માટે પાર્કિંગ બંધ કરવા પણ ઠરાવાયું હતું.નવા વાહન માલિકોએ પાર્કિંગનું પ્રમાણ આપવું પણ અનિવાર્ય હતું.તો AMCના અધિકારીઓ પ્રમાણપત્ર પણ આપવાના હતા
પાર્કિંગ પોલિસીમાં શી થશે ફેરવિચારણા ?
અમદાવાદ શહેરમાં પાર્કિંગ સમસ્યાનું નિવારણ લાવવા સુપ્રિમ કોર્ટની ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું અને એક નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી હતી .આ પાર્કિંગ પોલિસીમાં નગરિકોએ વાહન ખરીદતા પહેલા જગ્યાનો પુરાવો બાતવવો પડશે તેવો નિયમ લાવવામાં આવ્યો હતો પરંતુ AMC ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિયમ રદ કરવામાં આવ્યો છે અને પાર્કિંગ પોલિસી અંગે કમિટી વધુ વિચારણા કર્યા બાદ પોલિસી અમલ માં લાવશે
શહેરની સમસ્યા
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા થી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે કારણ કે વાહનો આડેધડ રોડ પર પાર્ક થઈ રહ્યા છે.પાર્કિંગ પોલિસી તો લવાઈ રહી છે પરંતુ અડધા અમદાવાદમાં જૂની સોસાયટી અને ફ્લેટ આવેલા છે જ્યાં પાર્કિંગ ની સુવિધા હાલના સમય પ્રમાણે ઉપલબ્ધ નથી. જેથી નાગરિકોએ રોડ પર જ વાહન પાર્ક કરવા પડી રહ્યા છે .જો પાર્કિંગ પોલિસી અમલ માં આવશે તો નાગરિકો એ પાર્કિંગ ચાર્જ તો આપવો જ પડસે પરંતુ વાહન ખરીદી વખતે જગ્યાનો પુરાવા આપવાની ઝંઝટમાં નહિ પડવું પડે.જોકે હજુ આ પાર્કિંગ પોલિસીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શુ સુધારા વધારા કરે છે .તે જોવું રસપ્રદ તો રહેશે જ પણ નાગરિકોને કેટલું ફાયદારૂપ નીવડશે તે પણ જોવાનું રહેશે