મ્યાંમારમાં સેના અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થતા ત્યાના 100 જેટલા નાગરીકો મિઝોરમમાં ઘુસી ગયા છે. જીવ બચાવવા આ લોકો મિઝોરમમાં ઘુસ્યા હોવાની માહિતી સામે આવી છે.
મિઝોરમમાં ઘુસ્યાં મ્યાનમાંરના નાગરીકો
અંદાજે 100 જેટલા લોકોએ કરી ઘુસણખોરી
મિઝોરમમાં ગૃહમંત્રીએ સમગ્ર મામલે આપી માહિતી
મ્યાંમાર સેના અને ત્યાના નાગરીકો વચ્ચે દિવસેને દિવસે ઘર્ષણ વધી રહ્યું છે. આજે પણ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું જેમા અંદાજે 100 કરતા વધારે નાગરીકો ભાગીને મિઝોરમ સિમાની અંદર ઘુસી ગયા છે. સમગ્ર મામવે મિઝોરમના ગૃહમંત્રી લાલ ચમલિયાનાએ હજુ ચોક્કસ આંકડોતો નથી કહ્યો પરંતુ અંદાજે 100 જેટલા લોકો મિઝોરમના બે જિલ્લામાં ઘુસી ગયા છે.
ચોક્કસ આંકડો હજુ સ્પષ્ટ નથી
મિઝોરમના ગૃહમંત્રીએ સમગ્ર મામલે માહિતી આપતા કહ્યું કે મોટી સંખ્યામાં મ્યાંમારના નાગરિકો રાજ્યમાં ઘુસ્યા છે. પરંતુ કોઈ ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો. સાથેજ તેમણે કહ્યું કે હાલ હુ ક્વોરન્ટિન છું જેથી મને આ મામલે વધારે માહિતી નથી.
અત્યાર સુધીમાં કુલ 10 હજાર લોકોએ કરી ઘુસણખોરી
આપને જણાવી દઈએ કે મ્યાંમારમાં સશસ્ત્ર નાગરિકો અને સેના વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જેથી હિંસાથી બચવા માટે મ્યાંમારના નાગરિકો મિઝોરમમાં ઘુસી રહ્યા છે. ગત માર્ચ મહિનાથી નાગરીકોનો સેના સાથે સંઘર્ષ ચાલુ છે. ત્યારથી લઈને હજારો લોકો અત્યાર સુધીમાં મિઝોરમમાં ઘુસ્યા છે. જેમા કુલ 10 હજાર જેટલા મ્યાનમારથી મિઝોરમમાં ઘુસ્યા હોવાનો અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
જુલાઈ બાદ મ્યાંમારમાં વિવાદ વકર્યો
મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારી સૈનિકો અને નાગરીકો વચ્ચે જુલાઈ મહિનામાં ભયંકર લડાઈ થઈ હતી. જેમા કુલ 20 લોકો માર્યા ગયા હતા. આ લડાઈ બાદ મ્યાનમાંરમાં રાષ્ટ્રીય એકતા સમાચાર દ્વારા એક રાષ્ટ્રવ્યાપી વિદ્રોહનું એલાન કરવામાં આવ્યું હતું,