હાલમાં જ સાબરમતી નદીમાં ગંદકીને લઈને સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું અને હવે તેને સ્વચ્છ રાખવા માટે તંત્રને CCTV કેમેરા લગાવવાની નોબત આવી છે. આપણાં દેશમાં ગંગા જેવી પવિત્ર નદી પણ દૂષિત થવાથી બાકી રહી નથી. ત્યારે સવાલ એ થાય છે કે નદીઓને સાફ રાખવામાં તંત્ર તો કામ કરે છે અને નિષ્ફળ પણ ઘણી વખત જતું હોય છે. પરંતુ શું આ નદીઓને સ્વચ્છ રાખવામાં માત્ર તંત્રની જ જવાબદારી છે? અમારા રિયાલિટી ચૅકમાં અમને જોવા મળ્યું કે સાબરમતીના સફાઈ અભિયાન બાદ પણ લોકો તેમાં કચરો નાંખવાનું ચાલુ જ રાખે છે. ત્યારે મુદ્દો એ છે કે નદીઓને સ્વચ્છ રાખવામાં તંત્રની સાથે સાથે આપણે પણ જવાબદારી નિભાવવી પડશે. આ જ વિષય પર જુઓ અમારો વિશેષ વીડિયો AarPaar with Hemant માં