લોકસભા બાદ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થયું હતું. આ બિલનો અસમમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. PMએ ટ્વિટ દ્વારા અસમના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે અને ખાતરી આપી છે કે અસમના લોકોના હિતોની રક્ષા થશે. અસમની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ કરશે.
અસમમાં થઈ રહેલી હિંસા મુદ્દે પ્રધાનમંત્રીએ કર્યું ટ્વીટ
અસમના લોકોને ડરવાની જરૂર નથી- પ્રધાનમંત્રી મોદી
અસમના લોકોના હિતોની રક્ષા થશે- પ્રધાનમંત્રી મોદી
નાગરિકતા સંશોધન બિલને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ વધતો જોવા મળી રહ્યો છે.અનેક જગ્યાઓએ આગચંપીની ઘટનાઓ બની રહી છે. અસમમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં સીઆરપીએફની 10 કંપનીઓ હાજર કરી દેવામાં આવી છે.
PM મોદીએ નાગરિકોને કહી આ વાત
PMએ ટ્વિટ દ્વારા આસામના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે અને ખાતરી આપી છે કે આસામના લોકોના હિતોની રક્ષા થશે. આસામની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ અને વિકાસ કરશે.
Prime Minister Narendra Modi tweets, "The Central Government and I are totally committed to constitutionally safeguard the political, linguistic, cultural and land rights of the Assamese people as per the spirit of Clause 6." https://t.co/pI5fyJGzSd
તિનસુકિયામાં ચાર દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. ગુરુવારે સવારે અહીં એક મૃતદેહ મળ્યો છે. અસમમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી જ રહ્યું છે.
વિરોધના પગલે ઈન્ટરનેટ બંધ અને કર્ફ્યુ
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અસમમાં હિંસા ફેલાઈ રહી છે. આ સાથે જ અહીં અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અસમમાં 31 ટ્રેન રદ થઈ છે. તો અનેક વિસ્તારોમાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.
કોલકત્તા અને ડિબ્રૂગઢ વચ્ચે વિમાન સેવા રદ
કોલકત્તા હવાઈ મથકના અધિકારીના જણાવ્યા અનુસાર કોલકત્તાથી ડિબ્રૂગઢ જનારી દરેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ ડિબ્રૂગઢથી આવનારી અને જનારી દરેક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. મળતી માહિતી અનુસાર આ યાત્રીઓ વૈકલ્પિક ફ્લાઈટ્સ મેળવી શકે છે અને સાથે જ રિફંડ પણ મેળવી શકે છે.