લોકસભામાં સોમવારે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરાયું. આ દરમિયાન વિપક્ષે જોરદાર વિરોધ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા બિલ કોઇપણ રીતે બંધારણનું ઉલ્લંઘન નથી કરતું અને ન આ બિલ લઘુમતીઓની વિરુદ્ધ છે. અમિત શાહે કહ્યું કે આ બિલ .001 ટકા પણ લઘુમતીઓ વિરુદ્ધ નથી.
લોકસભામાં સોમવારે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરાયું
નાગરિકતા સંશોધન બિલ પર વિપક્ષનો જોરદાર વિરોધ
અમિત શાહે કહ્યું, કોંગ્રેસે ધર્મના આધારે દેશને વહેંચ્યો છે
કોંગ્રેસ પર ભડકતા અમિત શાહે કહ્યું કે આ બિલની જરૂરિયાત કોંગ્રેસને કારણે પડી છે. ધર્મને આધારે કોંગ્રેસે દેશનું વિભાજન કર્યું. આ બિલની જરૂરિયાત ન પડતી, જો કોંગ્રેસ એવું ન કરતી, કોંગ્રેસે ધર્મના આધારે દેશને વહેંચ્યો છે.
અમિત શાહે કહ્યું કે દરેકે આર્ટિકલ 14 વિશે વાત કહી છે. પરંતુ આ આર્ટિકલ કાયદો બનાવવાથી ન રોકી શકે. એવુ નથી કે પહેલીવાર નાગરિકતાના મુદ્દે તેના પર નિર્ણય લેવાઇ રહ્યો છે. 1971માં ઇન્દિરા ગાંધીએ નિર્ણય લીધો હતો કે બાંગ્લાદેશથી જેટલા લોકો આવ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે. તો પછી પાકિસ્તાનને લઇને કેમ ન આપવામાં આવે.
If Congress had not done the division of the country on the basis of religion, Citizenship Amendment Bill would not have been needed today: @AmitShah#LokSabhapic.twitter.com/RJwHTek9Xx
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે 1971 બાદ પણ આજે બાંગ્લાદેશમાં લઘુમતિઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. યુગાન્ડાથી આવેલા લોકોને કોંગ્રેસ શાસનમાં જગ્યા આપવામાં આવી, તો ઇંગ્લેન્ડથી આવતા લોકોને કેમ ન આપવામાં આવી. તેઓએ કહ્યું કે, જો આર્ટિકલ 14ના આધારે ચાલીએ તો લઘુમતિઓ માટે સ્પેશિયલ એક્ટ કેમ હોય, ત્યાં નિયમ કેમ લાગૂ કરવામાં આવતો નથી.
આ દરમિયાન વિપક્ષે હંગામો કર્યો તો અમિત શાહે કહ્યું કે તમે મને ન રોકી શકો, અમારી સરકાર ચૂંટાઈને આવી છે. તેના વિશે સાંભળવું પડશે. અમિત શાહે કહ્યું કે આપણા દેશની સીમા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. એવામાં બિલમાં તેમના માટે ઉલ્લેખ કરાયો છે. અમિત શાહે કહ્યું કે હું ભૂગોળ જાણું છું. હું અહીંનો જ છું.