ભારતીય જનતા પાર્ટીએ સોમવારે કોલકાતાની ગલીઓમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી નીકાળી હતી. જોકે, આ દરમિયાન થોડાક જ કલાકો બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા ચંદ્ર કુમાર બોઝે ટ્વિટ કરતા આ કાયદા પર સવાલ ઉઠાવ્યા છે.
ભાજપના નેતા ચંદ્ર કુમાર બોઝે ટ્વિટ કરતા આ કાયદા પર સવાલ ઉઠાવ્યા છે
ચંદ્ર કુમાર બોઝે કહ્યું, ભારત તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો દેશ છે
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પોત્ર ચંદ્રકુમાર બોઝે કહ્યું કે, ભારત એક એવો દેશ છે, જે તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો છે. બોઝે ટ્વિટ કર્યું કે, જો નાગરિકતા સંશોધન કાયદો કોઇ ધર્મ સાથે જોડાયેલો નથી તો તેમાં માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ઇસાઇ, પારસી અને જૈન જ કેમ સામેલ છે. તેમની જેમ મુસ્લિમોને પણ તેમા સામેલ કેમ કરવામાં આવ્યા નથી. તેને પારદર્શી હોવું જોઇએ.
Don't equate India or compare it with any other nation- as it's a nation Open to all religions and communities
એક અન્ય ટ્વિટમાં તેઓએ લખ્યું છે કે, 'ભારતની કોઇ અન્ય દેશ સાથે બરાબરી અથવા તુલના ન કરો, કેમકે આ તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો દેશ છે. ભાજપમાં આ કાયદા વિરુદ્ધ સવાલ ત્યારે ઉઠી રહ્યા છે, જ્યારે ભાજપ સોશિયલ મીડિયા પર મોટા સ્તરે આ કાયદાને લઇને જાગરુકતા અભિયાન ચલાવી રહી છે.
If #CAA2019 is not related to any religion why are we stating - Hindu,Sikh,Boudha, Christians, Parsis & Jains only! Why not include #Muslims as well? Let's be transparent
નોંધનીય છે કે, કોલકાતામાં આ કાયદાના સમર્થનમાં નીકાળવામાં આવેલી રેલીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે આરોપ લગાવ્યો કે, સંશોધિત નાગરિકતા કાયદો (CAA) પર તૃણમૂલ કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.