ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટો નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અભેદ્ય સુરક્ષા કરવા માટે હવે સપ્ટેમ્બર મહિનાથી CISFના જવાનો કરશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા CISFને સોંપવામાં આવી
સુરક્ષા વ્યવસ્થા 1 સપ્ટેમ્બરથી CISFના હવાલે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી મંજૂરી
17 ઓગસ્ટે CISFનું કેવડિયા ખાતે થશે આગમન
રાજયની શાન ગણી શકાય તેવી સરદાર પટેલની વિરાટ પ્રતિમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે CISF સુરક્ષાને મંજૂરી આપી દીધી છે. આગામી 1 સપ્ટેમ્બરથી સુરક્ષા વ્યવસ્થા CISFને સોંપવામાં આવશે અને સુરક્ષા માટે આગામી 17 ઓગસ્ટે CISFનું કેવડિયા ખાતે આગમન થશે.
અત્યાર સુધી SRP અને નર્મદા પોલીસ સંભાળતી હતી સુરક્ષા
નોંધનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થયું ત્યારથી જ તે એક પ્રવાસનનું કેન્દ્ર પણ બન્યું છે. દેશ-વિદેશથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવે છે. કુદરતનાં ખોળે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે નદી પણ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી તેની સુરક્ષા SRP અને પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી હતી.