આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા પરિપત્ર જાહેર, વર્ગ 4,3,2 ના કર્મચારીઓના પગારને પ્રાથમિકતા અપાશે.
આરોગ્ય કર્મચારીઓના પગાર મુદ્દે કમિશનરનો પરિપત્ર
વર્ગ 4,3,2 ના કર્મચારીઓના પગારને પ્રાથમિકતા અપાશે
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો પરિપત્ર
રાજ્યના આરોગ્ય કર્મચારીઓના પગાર મુદ્દે આ વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વર્ગ 4,3,2 ના કર્મચારીઓના પગારને પ્રાથમિકતા અપાશે. આઉટસોર્સિગ કર્મીઓને પગારને પ્રાથમિકતા અપાશે. અને ગ્રાન્ટ ઉપલબ્ધ ન હોય ત્યારે વર્ગ 4,3,2 ના પગાર માટે પ્રાથમિકતા રહેશે. વર્ગ 4,3,2 કર્મચારીના પગાર થયા બાદ જ ઓફિસર્સના પગાર થશે. કર્મચારીઓના પગાર બાદ ઓફિસર્સના પગાર આકારી શકાશે. આઉટસોર્સિંગ કર્મીઓનુ ચૂકવણુ એસ્ક્રો એકાઉન્ટમાં જ કરાશે.