યુપીના ગોરખપુરની એમ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં એવો ખુલાસો થયો છે કે સિગરેટનો ધૂમાડો ન પીનાર લોકોમાં કોરોનાનો ખતરો સર્જી શકે છે.
ગોરખપુર એમ્સના સ્ટડીમાં ખુલાસો
સિગારેટનો ધૂમાડો કોરોના ફેલાવી શકે છે
ધૂમાડો સિગરેટ ન પીનાર લોકોમાં સર્જી શકે ખતરો
ગોરખપુર એમ્સના સ્ટડીમાં સિગારેટનો ધૂમાડો ન પીનાર લોકોમાં કોરોનાનો ખતરો સર્જી શકે છે. જે લોકો ધૂમ્રપાન નથી કરી રહ્યા તેઓ સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવવાને કારણે કોરોનાગ્રસ્ત થઈ શકે છે. છ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા આ પ્રકારના પ્રથમ અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો ઘરે અથવા કાર્યસ્થળ પર સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવે છે, તેઓમાં સિગારેટના ધુમાડાના સંપર્કમાં ન આવતા લોકોની તુલનામાં કોરોનાનો સૌથી વધારે ખતરો રહે છે. એમ્સ ગોરખપુરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેખા કિશોરે જણાવ્યું હતું કે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવવાને કારણે સ્વાસ્થ્ય પર ખતરો એ મૂળભૂત માનવ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે. "અમારો બહુ-કેન્દ્રીય અભ્યાસ દર્શાવે છે કે ધૂમ્રપાન ન કરનારાઓને સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવવાને કારણે કોવિડ -19 ચેપના ગંભીર સ્વરૂપો વિકસિત થવાનું જોખમ વધી જાય છે.
સિગારેટના ધુમાડામાં 7,000થી વધુ કેમિકલ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સિગારેટના ધુમાડામાં 7 હજારથી વધુ કેમિકલ હોય છે, જે ફેફસાના કેન્સર, હૃદયરોગ અને ફેફસાના રોગો માટે જવાબદાર માનવામાં આવે છે. આ રોગો કોવિડ -19 ચેપની તીવ્રતામાં વધારો કરે છે.
ઘેર સિગારેટના ધુમાડાથી કોરોનાના જોખમમાં 3 ગણો વધારો
સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે ઘરે સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવતા લોકોમાં કોરોના ગંભીર સ્વરૂપો વિકસાવવાનું જોખમ 3.03 ગણું વધારે છે. તે જ સમયે, ઓફિસમાં સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવતા લોકોમાં ગંભીર ચેપનું જોખમ 2.19 ગણું વધારે છે.