જયપુર જિલ્લાના કોટપૂતલીના ગ્રામ પંચાયત કલ્યાણપુર કલાંના કુહાડા ગામના પહાડો પર સ્થિત ભૈરૂજી મંદિરનો 13મો વાર્ષિક ઉત્સવ 30 જાન્યુઆરીએ આયોજીત થશે.
જયપુરમાં ભૈરૂજી મંદિરનો 13મો વાર્ષિક ઉત્સવ યોજાશે
પ્રસાદી માટે 242 ક્વિન્ટલ ચૂરમાને જેસીબીથી મિલાવીને તૈયાર કરાયો
ચૂરમાને 6 ટ્રોલિઓમાં ભરીને રાખવામાં આવ્યો
ભૈરૂબાબાના મેળા અને વાર્ષિક ઉત્સવમાં જન પ્રતિનિધિ, વેપારી અને ભામાશાહ ભાગ લેશે. લક્ખી મેળાને લઇને ગ્રામજનોના જનસહયોગથી છેલ્લાં એક મહિનાથી એકત્રિત થઇને તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રસાદી માટે બનાવેલા 242 ક્વિન્ટલ ચૂરમાને થ્રેસરની સહાયતાથી પીસીને અને જેસીબીથી મિલાવીને તૈયાર કરાયેલા ચૂરમાને 6 ટ્રોલીઓમાં ભરીને રાખવામાં આવ્યો છે.
પ્રસાદી માટેની સામગ્રી
પૂજારી રોહિતાશ બોફા, યાદરામ સિહોડિયા, જયરામ જેલદાર, શેતાન, પૂર્વ સરપંચ બુધરામ ચનેજા, બનવારી વગેરેએ જણાવ્યું કે ભેરૂબાબાના 242 ક્વિન્ટલ ચૂરમાની પ્રસાદી બને છે. જેમાં 135 ક્વિન્ટલ ઘઉંનો લોટ અને સોજી, 24 ક્વિન્ટલ દેશી ઘી, 70 ક્વિન્ટલ ખાંડ, 5 ક્વિન્ટલ માવા, 2 ક્વિન્ટલ કાજૂ, 2 ક્વિન્ટલ બદામ, 2 ક્વિન્ટલ કિશમિશ અને 2 ક્વિન્ટલ ટોપરુ મિલાવવામાં આવ્યું છે. ચૂરમાને પીસવા માટે થ્રેસર અને ભેગુ કરવા માટે જેસીબીની સહાયતા લેવામાં આવી છે.
85 હલવાઈની ટીમ
ચૂરમાને બનાવવા માટે 85 હલવાઈની ટીમ કામમાં લાગી ગઇ છે. આ ઉપરાંત લગભગ 65 ક્વિન્ટલ દહી તથા 60 ક્વિન્ટલ દાળ બનાવવામાં આવે છે. દાળ બનાવવામાં 30 પીપળા સરસોનું તેલ, 5 ક્વિન્ટલ ટામેટા, 2 ક્વિન્ટલ લીલા મરચા, 1 ક્વિન્ટલ લીલા ધાણા કામમાં લેવામાં આવશે.
હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા
શનિવારે સવારે કળશ યાત્રા કાઢવામાં આવશે. વાર્ષિક ઉત્સવ પર રવિવારે ભંડારાના દિવસે ધમાલ કાર્યક્રમ આયોજીત થશે. જેમાં અનેક કલાકાર ધમાલની પ્રસ્તુતિ આપશે. આ ઉપરાંત ભેરૂબાબાના મંદિર પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા આકર્ષણનું કેન્દ્ર રહેશે.