સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર હે નિવેદન પર રાહુલ ગાંધીને નોટિસ જારી કરી છે. રાહુલના જવાબથી અસંતુષ્ટ ઉચ્ચ કોર્ટે એમને માનહાનિ નોટિસ જારી કરી છે. આ કેસની આગળની સુનવણી 30 એપ્રિલે થશે.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા ઉચ્ચ કોર્ટનો ઉલ્લેખ કરીને 'ચોકીદાર ચોર હે' નિવેદનને લઇને કારણ બતાવો નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ મામલાની સુનાવણી કરતાં પૂછ્યું કે શું બેંચે ચૌકીદાર ચોર શબ્દનો પ્રયોગ કર્યો હતો? સુપ્રીમ કોર્ટે રાફેલ પર રિવ્યૂ અરજી અને મીનાક્ષી લેખી દ્વારા રાહુલની વિરુદ્ધ દાખલ અવગણના અરજીની સુનવણી 30 એપ્રિલે કરશે.
રાહુલ ગાંધી તરફથી હાજર વકીલે કહ્યું કે કોર્ટના હવાલાથી ચૌકીદાર ચોર છે કહેવા માટે દુખ છે. વકીલે કહ્યું કે રાહુલ વિનમ્ર અને ઇમાનદાર છે. એમને એમની ભૂલ માટે દુખ વ્યક્ત કર્યું છે અને કોર્ટને આ કેસ બંધ કરવા માટેની અપીલ કરી છે. જણાવી દઇએ કે પહેલા કોર્ટે રાહુલ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું હવે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે.
જણાવી દઇએ કે 10 એપ્રિલે ઉચ્ચ કોર્ટે સરકારની આપત્તિઓને અવગણના કરતા રાફેલ મામલે રિવ્યૂ પિટીશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો હતો.