સુરેન્દ્રનગરઃ ચોટીલા-સાયલા હાઇવેના મઘરીખડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા અકસ્માતના સ્થળે જ 6 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતથી હાઇ-વે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ થયો હતો. 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા.
દ્વારકાઃ ખાનગી બસ અને છોટા હાથી ટેમ્પો વચ્ચે થયો અકસ્માત
દ્વારકા જિલ્લામા ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. ખંભાળિયા દ્વારકા હાઇવે પર વડત્રા ગામ પાસે બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા 3 લોકોને ઈજા થઈ હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વીરપુર એસટી ડેપો સામેની ઘટના
વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઇવે પર ટ્રક વીજ પોલ સાથે અથડાયો હતો. બસને ઓવરટેક કરવા જતા ટ્રક વીજ પોલ સાથે અથડાયો. વીજ પોલના તાર બસ અને ટ્રક પર પડ્યા હતા. બસમાં સવાર મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. PGVCLના કર્મચારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જામનગરઃ કાર પલટી ખાઇ ગઇ
જામનગર નજીક પુર ઝડપે જતી કાર પલટી ખાઇ ગઇ હતી. 100 મીટર સુધી કાર 4-5 પલટી ખાઇ ગઇ હતી. કાર પલટીમા કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ધટના CCTVમાં કેદ થઇ હતી.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અકસ્માત 2ના ઘટનાસ્થળે મોત
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.