છોટાઉદેપુર જિલ્લામાં આવેલું હાફેશ્વર મંદિર 14 વર્ષ બાદ જળમાંથી બહાર આવ્યા બાદ હવે ફરીથી નર્મદા નદીના જળમાં સમાધિ લેવા જઈ રહ્યું છે. ચોમાસાના સમયમાં વરસાદના કારણે પૌરાણિક મંદિર નર્મદા નદીમાં નવા નીર આવતા જળસમાધિ લઈ રહ્યું છે.
જળસમાધિ પહેલા આ મંદિરે નર્મદા નદીમાંથી બહાર આવી ભક્તોને દર્શનનો લાભ લીધો હતો. હવે એજ મંદિર નર્મદાનું જળ સ્તર ઉપર આવતા જળસમાધિ લઈ રહ્યું છે. કવાંટ તાલુકામાં આવેલું આ હાફેશ્વર મંદિર જે પહેલા કલહંશ્વેર નામથી જાણીતું હતું
નર્મદા નદી ઉપર જ્યારે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો ત્યારે આ નર્મદા નદીનું જળસ્તર ઉપર આવી ગયું હતું. જેથી આ મંદિરે પાણીમાં સમાધિ લીધી હતી.
ગયા વર્ષે ઓછા વરસાદ અને ડેમનું પાણી સૌરાષ્ટ્ર તરફ લઈ જવાતા નદીના જળ સ્તર નીચે ઉતરી ગયા હતા. જેને લઈને 14 વર્ષ બાદ શિવ મંદિર બહાર આવ્યું હતું. શિવ મંદિર બહાર આવવાની જાણ થતા ગુજરાતભરમાંથી શિવ ભક્તો આ મંદિરના દર્શન માટે આવતા હતા. ત્યારે હવે ફરીથી નર્મદા નદીના જળમાં સમાધિ લેવા જઈ રહ્યું છે.