ગીર સોમનાથ ચોરવાડના દરિયાકિનારે આવેલ સૌરાષ્ટ્રનું મીની કશ્મીર તરીકે ઓળખાતું હોલીડે કેમ્પ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે.તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા નવાબીકાળનો કેમ્પ ખંડેર હાલતમાં પડયો છે.જર્જરતિ હાલતમાં હોવાથી દેશ વિદેશના સહેલીઓમાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે હોલીડે કેમ્પમાં એક સમયમાં નવાબો આવતા હતા.અને દેશ વિદેશના સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર હોલીડે કેમ્પ હતું.કારણ કે આ એક હોલી ડે કેમ્પમાં સ્વિમિંગ પુલ હતો.પરંતુ હોલી ડે કેમ્પ જર્જરિત હાલતમાં હોવાથી રોજગારી પર માઠી અસર પડી હતી.બીજી તરફ સાંસદના પ્રયાસોથી સરકારે ઐતિહાસિક ધરોહરને ફરી જીવંત કરવા લીલીઝંડી આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેટલાય એવા ઐતિહાસિક સ્થળો આવેલા છે જે વર્ષો જૂના ઇતિહાસની પોતાની અંદર સમાવીને બેઠેલા છે આવા સ્થળોની યોગ્ય જાણવણી કરવામાં આવશે તો આવનારી પેઢીને આપણે વારસા સ્વરૂપે કોઇ ધરોહરની ભેટ આપી શકીશું.