મુંબઇમાં શિવસેનાના મુખ્ય કાર્યાલય ખાતે પાર્ટીના નવા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 50-50નો ફોર્મ્યુલા ફરી એકવાર જોવા મળ્યો છે. આ વખતે શિવસેનાએ સીએમ પદને લઇને લેખિત આશ્વાસન માગ્યુ છે.
આદિત્ય ઠાકરેને CM બનાવવાની માગ
શિવસેનાના નેતાઓમાં ઉઠયો અવાજ
મુંબઇમાં શિવસેના મુખ્ય કાર્યાલયમાં યોજાઇ બેઠક
શિવસેનાની ટિકીટ પરથી સિલ્લોડથી જીતનાર મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારે જણાવ્યું કે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. અબ્દુલ સત્તારે દાવો કર્યો છે કે ભાજપ અને શિવસેનાએ ગઠબંધન અગાઉ નક્કી કર્યું હતું કે રાજ્યમાં પહેલા 2.5 વર્ષ શિવસેનાનો મુખ્યમંત્ર હશે અને ત્યારબાદ બીજા 2.5 વર્ષ ભાજપનો સીએમ હશે.
અબ્દુલ સત્તારની જેમ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પણ શિવસેનામાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે. સરનાઇકે કહ્યું કે બધા શિવસૈનિક શિવસેનામાંથી જ મુખ્યમંત્રી ઇચ્છે છે. ચૂંટણી પહેલા 50-50ની ફોર્મ્યુલ્લા અંગે વાતચીત થઇ હતી. જો કે આ અંગે હવે ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.
Pratap Sarnaik,Shiv Sena:In our meeting it was decided that like Amit Shah ji had promised 50-50 formula before LS polls,similarly both allies should get chance to run Govt for 2.5-2.5 years so Shiv Sena should also have CM.Uddhav ji should get this assurance in writing from BJP. pic.twitter.com/vyaFL1dVV4