દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનને મંગળવારે સાંજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 71 વર્ષીય સરોજ ખાનને 23 જૂને સાંજે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ પરિવારને ચિંતા થઈ હતી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામા આવ્યો હતો. જોકે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે.
A post shared by Saroj Khan (@sarojkhanofficial) on
ચાર દાયકાથી વધુના કરિયરમાં સરોજ ખાને 2 હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. 22 નવેમ્બર 1948એ જન્મેલા સરોજ ખાને બોલિવૂડમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી. દરેક સ્ટાર તેમની કોરિયોગ્રાફીની પ્રસંશા કરે છે. સરોજ ખાને તેમના કરિયરમાં ઘણાં ફેમસ સોન્ગ્સ કોરિયોગ્રાફ કર્યા છે. દેવદાસનો ડોલા રે ડોલા, માધુરી દીક્ષિત સાથે તેજાબનો સોન્ગ એક દો તીન અને જબ વી મેટ ફિલ્મનો યે ઈશ્ક હાય જેવા ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. તેમણે છેલ્લે કલંક ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી. તેમણે 3 વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.