મદીનામાં પ્રવેશ દરમ્યાન લોકોએ લગાવ્યાં 'ચોર-ચોર'ના નારા
સૂચના મંત્રીએ નામ લીધા વિના ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હાલ સાઉદી અરેબિયાના પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન એક એવી ઘટના બની કે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં બન્યું એવું કે જ્યારે શાહબાઝ મદીનામાં મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશી રહ્યાં હતાં એ દરમ્યાન લોકોએ 'ચોર-ચોર'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જો કે, સૂત્રોચ્ચાર કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
The Pakistani delegation surrounded by people yelling “chor chor” when they made their way to Masjid-e-Nabwi in Madina.
પ્રતિનિધિમંડળ સાથે PM ત્રણ દિવસ સત્તાવાર મુલાકાતે સાઉદી અરેબિયામાં
એક ખાનગી ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના PM શાહબાઝ એક પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિવસ સત્તાવાર મુલાકાતે સાઉદી અરેબિયામાં છે. તેઓની સાથે સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહજૈન બુગતી પણ સામેલ છે. આ સાથે પાકિસ્તાની અખબાર અનુસાર, ઔરંગઝેબે નામ લીધા વિના આવાં વિરોધ પ્રદર્શન માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.
'Chor-chor': Pilgrims raise slogan upon seeing Pak PM-led delegation in Madina
આ પવિત્ર ભૂમિનો ઉપયોગ રાજકારણ માટે નથી કરવા માંગતો: ઔરંગઝેબ
એજન્સીના જણાવ્યાં અનુસાર, ઔરંગઝેબે કહ્યું હતું કે, 'હું તે વ્યક્તિનું નામ નહીં લઉં, કારણ કે હું આ પવિત્ર ભૂમિનો ઉપયોગ રાજકારણ માટે કરવા નથી માંગતો. પરંતુ તેઓએ પાકિસ્તાની સમાજનો નાશ કર્યો છે.'
મળતી માહિતી મુજબ, શાહબાઝ શરીફ સાઉદી અરેબિયા પાસેથી 3.2 બિલિયન ડૉલરના વધારાના પેકેજની માંગ કરશે. આ સાથે જ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાને રોકવાનો પણ તેમનો પ્રયાસ રહેશે. ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન, સાઉદી અરેબિયાએ દેવાથી ડૂબેલા દેશને 3 અબજ યુએસ ડોલરની સહાય આપી હતી. એક અનુમાન મુજબ, પાકિસ્તાનને ચુકવણી સંતુલન અને વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો અટકાવવા માટે લગભગ 12 અબજ યુએસ ડોલરની જરૂર છે.
શાહબાઝ શરીફે 11 એપ્રિલે પાકિસ્તાનના 23માં PM તરીકે શપથ લીધા હતા
તમને જણાવી દઈએ કે, શાહબાઝ શરીફે 11 એપ્રિલે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાકિસ્તાનમાં વિરોધ પક્ષોએ એકતા દર્શાવીને ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવમાં બહારનો રસ્તો દેખાડી દીધો હતો.