અરવલ્લીમાં શિક્ષક સેતાન બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં વિદ્યાર્થીએ ક્લાસમાં ચોકલેટ ખાતા શિક્ષકે પિત્તો ગુમાવી વિદ્યાર્થીને આડેધડ માર માર્યો જોવાનું સામે આવ્યું છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.
સામન્ય ચોકલેટ ખાતા વિદ્યાર્થીને શિક્ષકે મર્યો માર
વિદ્યાર્થીને લોબી અને રૂમમાં ઢોરમાર માર્યો
શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારમારતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
અરવલ્લીમાં શિક્ષક સેતાન બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ ચોકલેટ ખાતા માથાફરેલ શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવાની જરૂર પડી હતી. જેમ એક મૂર્તિ કાર પથ્થર માંથી મૂર્તિનું સર્જન કરે છે એમ શિક્ષક વિદ્યાર્થીનું સર્જન કરે છે. પરંતુ નજીવી બાબતમાં ભિલોડાના વેજપુરમાં શિક્ષકે લાકડી વડે ધોરણ 11 ના વિદ્યાર્થીને લોબી અને રૂમમાં ઢોરમાર માર્યો હતો. શિક્ષકે ઢોરમાર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શિક્ષકની માતા છે શાળાના ટ્રસ્ટી
વેજપુર જાગૃતિ વિધ્યાલયમાં શિક્ષકના માતા શાળાના ટ્રસ્ટી હોવાથી શિક્ષક શાળામાં પોતાની દળગીરી ચલાવી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને વધુ ઇજા થતાં તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વિધ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.
વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગણી
શાળાના ટ્રસ્ટીના પુત્ર સંજય પ્રજાપતિ ગ્રાન્ટેડ શાળા વેજપુર જાગૃતિ વિધ્યાલયમાં નોકરી કરી રહ્યા છે. ત્યારે ચોકલેટ ખાવા મુદ્દે જાહેરમાં ધોરણ 11 માં લોબી અને રૂમમાં પણ માર માર્યો નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે. શરીર પર ઇજાના નિશાન ઉપસી આવતા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ શાળાના સંચાલકોએ આ બનાવ અંગે જાણ કરી હતી અને વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી.