UPના ચિત્રકૂટમાં લાપરવાહીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પ્રભારી મંત્રી જયવીર સિંહ અહીં જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમની સામે જ ડોક્ટર એક મહિલા શબનો ઈલાજ કરતા રહ્યા હતા.
યુપી સ્વાસ્થ્ય વિભાગની મોટી લાપરવાહી
તબીબ મૃત મહિલાનો કરી રહ્યા હતા ઈલાજ
મંત્રીની સામે જ ડોક્ટર્સની પોલ ખુલી ગઈ
UPના ચિત્રકૂટમાં લાપરવાહીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પ્રભારી મંત્રી જયવીર સિંહ અહીં જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમની સામે જ ડોક્ટર એક મહિલા શબનો ઈલાજ કરતા રહ્યા હતા. ડોક્ટરે મંત્રીને આ વાતની જરાં પણ ગંધ ન આવવા દીધી કે, જે મહિલાની સારવાર થઈ રહી છે, તે તો પહેલાથી જ મૃત મહિલા છે. જ્યારે મંત્રી બહાર નિકળ્યા તો, સ્થાનિક મહિલાએ આ ઘટનાક્રમ વિશે તેમને જાણકારી આપી. આ ઘોર લાપરવાહીની જાણ પર મંત્રી જયવીર સિંહ ફરી વાર બેડ પાસે પહોંત્યા અને સચ્ચાઈ સામે લાવી જિલ્લાધિકારીને તપાસ માટે આદેશ આપ્યા હતા.
પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહ બે દિવસીય ચિત્રકૂટના પ્રવાસે પહોંચ્યા હતા. મંત્રી જ્યારે હોસ્પિટલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા, તો ચિત્રકૂટના મુખ્ય તબીબ અધિકારી ડો. ભૂપેશ ત્રિપાઠી મહિલાની તપાસ કરી રહ્યા હતા, ત્યાર બાદ મંત્રીના હાથે તેમના સંબંધીઓને ફળ વિતરણ પણ કરાવી દીધું.
મૃતદેહનો ઈલાજ કરી રહેલા ડોક્ટરની પોલ ત્યારે ખુલી, જ્યારે ચિત્રકૂટ જિલ્લા પંચાયત સભ્ય મીરા ભારતીએ ડોક્ટરની આ કરતૂતની જાણકારી મંત્રીને આપી. મંત્રી ફરી વાર તે રૂમમાં પહોંચ્યા અને ડોક્ટર્સ સાથે પૂછપરછ કરવા લાગ્યા. પોલ ખુલતા જોઈ સ્વાસ્થ્ય વિભાગના શ્વાસ અટકી ગયા હતા.
મુખ્ય તબીબ અધિકારી ડો. ભૂપેશ ત્રિપાઠી પહેલા તો મહિલાના મોતની ના પાડવા લાગ્યા અને મૃતકની છાતી દબાવીને ફરી વાર શ્વાસ લેવડાવવાની કોશિશ કરતા રહ્યા. પણ બે ત્રણ મીનિટ સુધી મહિલામાં કોઈ હલનચલન ન થયું અને બાદમાં મહિલાને મૃત જાહેર કરી દીધી.
ડોક્ટર્સની લાપરવાહી પર પ્રભારી મંત્રીએ નારાજગી વ્યક્ત કરી અને ચિત્રકૂટના કલેક્ટરને સમગ્ર મામલે મજિસ્ટ્રિયલ તપાસ બેસાડવાના આદેશ આપ્યા હતા. તેમણે દોષિત ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા છે.