અમદાવાદના ધોળકામાં આવેલી ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 શ્રમિકોના મૃત્યું થયા હતા. જો કે હાલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતર મામલે ભીનુ સંકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. જેને લઇને પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે. જેમાં પોલીસ દ્વારા કંપનીના માલિકોને બચાવામાં આવી રહ્યા હોય તેવા સવાલ ઉઠ્યાં છે.
અમદાવાદની કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી
4 લોકોના મોત પછી પણ ગ્રુપના માલિકો સામે કોઈ ગુનો ન નોંધ્યો
ગત શનિવારે અમદાવાદના ધોળાક તાલુકાના સિમેજ-ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 કામદારોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જો કે ત્યાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.
4 કામદારોના મૃત્યું બાદ અમદાવાદની કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. ત્યારે સવાલ એ થાય છે કે ચિરીપાલ ગ્રુપની કંપનીમાં 4 લોકોના મોત પછી પણ ગ્રુપના માલિકો સામે કેમ કોઇ ગુનો ન નોંધવામાં આવ્યો.
કંપનીના ચેરમેન અને માલિક સામે પોલીસ કેમ મૌન છે. GPCB દ્વારા પણ ચિરીપાલ ગ્રુપને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. અન્ય કંપનીઓને નોટિસ પાઠવતી GPCB ચિરીપાલ મામલે કેમ મૌન છે.
સળગતા સવાલ?
કંપનીના માલિકોને કેમ વારંવાર છાવરવામાં આવે છે?
સરકારી જવાબ આપવામાં જ પોલીસ અને GPCBને રસ છે?
4 કર્મચારીઓના મૃત્યુ બાદ પણ માલિકો નિર્દોષ છે?
અન્ય કંપનીઓને નોટિસ, તો ચિરીપાલને કેમ નહી?
રાજકીય વગ હોવાથી ચિરીપાલ સામે કોઈ કાર્યવાહી નહી?
કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધીને પોલીસે મૌન કેમ?